કુંભમાં મોટી સંખ્યામાં જોવા મળતા નાગા સાધુઓની દુનિયા ખૂબ જ વિચિત્ર અને રહસ્યોથી ભરેલી હોય છે. એક તરફ ત્યાં અર્ધકુંભ, મહાકુંભમાં તે નિર્વસ્ત્ર રહીને શરીર પર ભભૂત લગાવીને નાચતા ગાતા મોટી સંખ્યામાં નાગા સાધુ જોવા મળે છે, તેમજ કુંભ પૂર્ણ થતા જ આ ક્યાંય ગાયબ થઈ જાય છે, આ એક રહસ્યની જેમ છે. એવામાં આજે અમે તમને જણાવી રહ્યાં છે નાગા સાધુઓની રહસ્યમયી દુનિયાની હકીકત? અંતે તેઓ ક્યાંથી આવે છે અને ક્યાં ગાયબ થઈ જાય છે.
એવામાં હરિદ્વારમાં ચાલી રહેલા મહાકુંભમાં એકવાર ફરી નાગા સાધુ જોવા મળી રહ્યાં છે, વાસ્તવમાં દેશમાં ક્યાય પણ કુંભ અથવા કુંભનું આયોજન થતા જ, નાગા સાધુ અચાનકથી પ્રકટ થાય છે. અને કુંભની સમાપ્તિ થતા આ ફરી ન ખબર ક્યાં ગાયબ થઈ જાય છે. જ્યારે તેના પછી નાગા સાધુઓના આગલા કુંભમાં જ દર્શન થાય છે. આ વચ્ચે તે ક્યાં રહે છે, શું કરે છે અથવા શું ખાઈ છે, કદાચ જ તમને ખબર હોય.
નાગા સાધુઓ વિશે કહેવામાં આવે છે કે આ દિવસ-રાત એટલે 24 કલાક માત્ર એકવાર જ ભોજન કરે છે. ગુરૂ પરંપરા અનુસાર આ ફક્ત ભિક્ષા માંગીને જ પોતાનું ભેટ ભરે છે. એટલું જ નહી નાગા સાધુ પોતાની દિનચર્યામાં ફક્ત સાત ઘરોથી જ ભિક્ષા માંગે છે. આ ઘરોથી જે પણ મળે છે. તેમનાથી જ તેઓ પોતાનું પેટ ભરે છે. તેમજ જો સાત ઘરોથી તેમને પૂરતી ભિક્ષા નથી મળતી તો તેમને ભૂખુ જ રહેવું પડે છે, પરંતુ તે આઠમાં ઘરે ક્યારેય ભિક્ષા માંગવા નથી જતા. ભિક્ષામાં મળેલું કોઈપણ ભોજનમાં તે પસંદ અથવા ના પસંદનો પ્રશ્ન નથી ઉઠાવતા, પરંતુ ભગવાન ભોળાનાથની ઈચ્છા સમજી તેમનો જ ભોગ લગાવે છે.
જણાવી દઈએ કે નાગા સાધુઓના પોતાના સન્યાસી જીવનમાં ખૂબ જ કઠિન નિયમોનું પાલન કરવું પડે છે. સન્યાસી જીવન અનુસાર, તે ગૃહસ્થ જીવનની જેમ પલંગ, ખાટલા અથવા કોઈ અન્ય પલંગ પર સુઈ નથી શકતા. એવામાં આ ફક્ત જમીન પર સુવે છે, પછી ગમે તેટલી ઠંડી હોય અથવા પછી ગરમી. દરેક સ્થિતિમાં તેમને સન્યાસી જીવનનું પાલન કરવું જ પડે છે. એટલું જ નહીં નાગા સાધૂ ક્યારેય પણ પોતાની ઓળખ ખુલ્લી નથી કરતા. આ મોટાભાગે એકલા રહેવાનું પસંદ કરે છે. સાંસારિક અને ગૃહસ્થ જીવનથી તેને કોઈ પ્રકારનો કોઈ મોહ નથી હોતો.
નાગા સાધુઓ વિશે સૌથી રસપ્રદ વાત એ છે કે આ પોતાના સંપૂર્ણ જીવનમાં ક્યારેય પણ એક જગ્યાએ નથી રહેતાં. થોડા વર્ષો સુધી આ એક જંગલ અથવા ગુફામાં રહ્યાં પછી નવી જગ્યા માટે નીકળી પડે છે. આ જ કારણ આજ સુધી કોઈ નાગા સાધુનું કોઈ પણ મુખ્ય સ્થાન કોઈને ખબર નથી હોતું. સામાન્ય રીતે તે કુંભમાં મેળામાં જોવા મળે છે, જ્યાંથી આ સાધુ નિર્વસ્ત્ર જ રહે છે. જોકે કેટલાક નાગા સાધુ આવા પણ છે, જે વસ્ત્ર ધારણ કરે છે.
માન્યતાના અનુસાર કહેવામાં આવે છે કે નાગા સાધુ અલૌકિક શક્તિના સ્વામી હોય છે અને તે આ શક્તિઓ પોતાના કઠોર તપ અને ભક્તિથી હાસંલ કરે છે. પુરાણો અનુસાર, નાગા સાધુ ભગવાન શંકરના ગણ માનવામાં આવે છે. એટલા માટે તે પોતાના શરીર પર દરેક સમય ભભૂત લગાવીને રહે છે. ભગવાન શંકરના ગણ હોવાના કારણ તે વધું સમય જંગલોમાં રહીને જડી-બૂટી અને કંદમૂળના સહારે જ પોતાનું આખું જીવન પસાર કરે છે.
જણાવવામાં આવે છે કે દરેક નાગા સાધુ કોઈને કોઈ અખાડાથી જોડાયેલા હોય છે. જ્યાં સુધી તેમનો દીક્ષા કાર્યક્રમ થાય છે, તે અખાડામાં પુનર્વાસ કરે છે, ત્યારપછી તે અખાડા છોડીને જંગલો અને પહાડોની તરફ તપસ્યા કરવા માટે નીકળી પડે છે. કહેવાય છે કે કુંભના સમય નાગા સાધુઓને નિમંત્રણ આપવા માટે અખાડાની તરફથી કોતવાલની નિયુક્તિ કરવામાં આવે છે. જોકે તમામ નાગા સાધુઓને કુંભમાં સામેલ થવા માટે નિમંત્રણ આપે છે. તેના પછી જ આ રહસ્યમયી રીતે યોગ્ય સમયે કુંભમાં સામેલ થઈ જાય છે.
નાગા સાધુ બનવા માટે માણસે પોતાનું સાંસરિક જીવન ત્યાગીને દીક્ષા લેવી પડે છે. નાગા સાધુનું આ જીવન એક કઠોર તપસ્યાના સમાન હોય છે. એટલા માટે તે સ્વયંનું પિંડદાન પણ કરે છે. માન્યતાઓના અનુસાર, આવું એટલા માટે કરવામાં આવે છે કે જેથી માણસ સાંસારિક જીવનથી મોહ ત્યાગીને ફક્ત પ્રભૂની ભક્તિમાં પોતાનું ધ્યાન લગાવી શકે. એટલા માટે નાગા સાધુ દીક્ષા લેતા સમય પોતાના માથાના વાળ મુંડવીને સ્વયંનું પિંડદાન કરે છે.
તેમના પછી તેમનો પોતાનો પરિવાર અને સાંસારિક વસ્તુથી મોહ ભંગ થાય છે. અને તે ફક્ત ભગવાન શંકરની ઉપાસના કરવા પહાડો પર ચાલ્યાં જાય છે. માનવામાં આવે છે કે નાગા સાધુ પૃથ્વી લોકો પર ભગવાન શંકરના ગણની ભૂમિકા નીભાવે છે, અને હિન્દૂ ધર્મની રક્ષાના સદૈવ તૈયાર રહે છે.