બોલીવુડની ફિલ્મો અને તેની કહાણી હંમેશા ચર્ચાનું કેન્દ્ર રહે છે. જી હા… આ ફિલ્મી એટલી કોઈ ફિલ્મ નથી બનત, જેટલી તે ફિલ્મ સાથે જોડાયેલા કિસ્સા બની જાય છે. ખરેખર કેટલીક ફિલ્મોમાં સાથે એવા વિવાદિત કિસ્સા જોડાયેલા છે. જેનાથી કોઈ સ્ટારના નસીબને ચારચાંદ લાગી ગયા તો કોઈ સ્ટારની ગુમનામી મળી. આજે અમે તમને એક એવા જ કિસ્સા વિશે કહેવા જઈ રહ્યા છીએ, જેણે તે સમયે ઘણી હેડલાઇન્સ બનાવી હતી. છેવટે, આ કહાણી બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન સાથે પણ સંકળાયેલી હતી.
બોલિવૂડના દિગ્ગજ નેતા અમિતાભ બચ્ચન અને અભિનેત્રી રાની મુખર્જીએ સાથે એક ફિલ્મ કરી હતી. ફિલ્મનું નામ બ્લેક હતું. આ ફિલ્મમાં બંને મુખ્ય પાત્રમાં હતાં. ફિલ્મનું નિર્દેશન કર્યુ હતું, જાણીતા નિર્દેશક સંજય લીલા ભણસાલીએ. સંજય લીલા ભણસાલીની આ ફિલ્મ તે સમયે ખૂબ જ સફળ રહી હતી. આ વર્ષે આ ફિલ્મ બનીને 16 વર્ષ થયા છે. આ ફિલ્મ વર્ષ 2005 માં રિલીઝ થઈ હતી. તમને જાણીને આશ્ચર્ય થશે કે અમિતાભે બ્લેક ફિલ્મમાં કામ કરવા માટે ભણસાલી પાસેથી એક રૂપિયો પણ વસૂલ્યો નથી.

અમિતાભ બચ્ચનને ફિલ્મમાં કામ કરવા બદલ રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો હતો, જ્યારે અભિનેત્રી રાણી મુખર્જીને શ્રેષ્ઠ અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. આ ફિલ્મના એક સીનથી બચ્ચન પરિવારમાં હંગામો મચી ગયો. આ દ્રશ્ય અમિતાભ અને રાની વચ્ચેનો એક દ્રશ્ય હતો. આના થોડા સમય પહેલા જ રાની અને અભિષેક બચ્ચને ફિલ્મ કરી હતી. આ સમય દરમિયાન, બંનેની નિકટતા પણ નોંધપાત્ર વધી હતી. બંનેએ સાથે મળીને ઘણી હિટ ફિલ્મો આપી. લોકોને તેની કેમિસ્ટ્રી ખૂબ ગમતી. જયા બચ્ચન પણ રાણીને ખૂબ ચાહતા હતા. બંને લગ્ન કરવાના હતા.

પરંતુ અમિતાભ બચ્ચન અને રાની મુખર્જીના આ ચુંબનથી આ બંનેના લગ્નજીવન ખોરવાઈ ગયું. આ દ્રશ્ય જોઈને અમિતાભના પરિવારના હોશ ઉડી ગયા. અભિષેક પણ માનતો ન હતો. જે રાની મુખર્જી અભિષેક માટે પ્રિય હતી, તે અચાનક સૌ કોઈને ખટકવા લાગી. ત્યારબાજ અભિષેકના ઘરના લોકોએ રાણીથી અંતર વધારવાનું શરૂ કર્યું.

તમને જણાવી દઈએ કે, કરીના કપૂર આ ફિલ્મ માટે ડિરેક્ટર સંજય લીલા ભણસાલીની પહેલી પસંદ હતી. કરીનાને કારણે અમિતાભે આ ફિલ્મ કરવાનો ઇનકાર કરી દીધો હતો. બાદમાં સંજય લીલાએ કરીનાની જગ્યાએ રાનીને લીધી. ન હોત તો આ સુપરહિટ ફિલ્મ કરીનાને નામે હોત.
ખરેખર કરિશ્મા કપૂર અને અભિષેક બચ્ચન લગ્ન કરવા જઇ રહ્યા હતા લગ્ન પહેલા તેઓની સગાઈ તૂટી ગઈ હતી. ત્યારબાદથી બંને પરિવારો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. આ ફિલ્મ કરતા પહેલાં પણ રાનીએ અનેક વાર વિચાર કર્યો હતો. તે પાત્ર વિશે ઘણું વિચારી રહી હતી. બાદમાં ભણસાલી સાથે વાત કર્યા પછી તેણે ફિલ્મ માટે હા પાડી. રાનીએ એકવાર કહ્યું હતું કે આ ફિલ્મ માટે તેને દિલીપકુમારની પણ પ્રશંસા મળી છે. રાનીએ કહ્યું હતું કે, દિલીપકુમાર જેવા મહાન અભિનેતા પાસેથી કામની પ્રશંસા મેળવવી એ મારા માટે એક અદ્ભુત બાબત હતી.