હિન્દુ ધર્મમાં એવા ઘણા વૃક્ષો છે કે જેને પવિત્ર માનવામાં આવે છે અને તેની પૂજા-અર્ચના કરવામાં આવે છે. કહેવાય છે કે વનસ્પિતમાં દેવી-દેવતાનો વાસ હોય છે. વૃક્ષોને ખૂબ જ માન સન્માનની દ્રષ્ટિથી જોવામાં આવે છે. કેટલાક વૃક્ષો એવા છે જેમ કે પીપળો, તુલસી, કેળા વગેરેની પૂજા કરવામાં આવે છે. શાસ્ત્રો મુજબ કેળાના ઝાડનું પણ વિશેષ મહત્વનું છે. એવુ કહેવામાં આવે છે કે કેળાનાં ઝાડની પૂજા કરવામાં આવે તો ગ્રહદોષ દૂર થાય છે અને અશાંતિથી છૂટકારો મળે છે. આવો જાણીએ કેળાના ઝાડની પૂજા કરવાથી શું ફાયદા થાય છે…

- નબળી આર્થિક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહેલા લોકોએ કેળાના ઝાડની પૂજા કરવી જોઈએ. જેથી ધનની દેવી માતા લક્ષ્મી તમારા પર પ્રસન્ન થશે. જો દરરોજ કેળાનાં ઝાડની પૂજા કરવામાં આવેતો માતા લક્ષ્મી પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે. આ રીતે પૂજા કરવામાં આવે તો ક્યારેય પૈસાની ઉણપ ઉભી થતી નથી.

- તમારી કુંડળીમાં ગુરૂ ગ્રહ તેજ હોય અને તેનો કોઇ દોષ હોય તો ગુરૂવારે કેળાનાં ઝાડની પૂજા કરવી અને જળ અર્પણ કરવું. આ સાથે કાચું દૂધ અર્પણ કરવું. તેથી ગુરુ ગ્રહ સાથે જોડાયેલ દરેક દોષ દૂર થાય છે.
- જો તમારા સંતાનને કોઈ દુખ હોય કે પછી કોઈ ચિંતાનો સામનો કરી રહ્યાં હોય તો તેને રોજ કેળાનાં વૃક્ષની સેવા કરવી જોઈએ. તેનાથી તમારા સંતાનને ક્યારેય કોઈ કષ્ટ નહીં રહે.

- જો તમારા લગ્નનો યોગ ન બની રહ્યો હોય અથવા તો અનેક પ્રયત્ન કરવા છતાં લગ્નમાં બાધા આવી રહી હોય તો આ કેળાંનું વૃક્ષ તમારી આ સમસ્યા દૂર કરી શકે છે. રોજ કેળાનાં વૃક્ષની પૂજા કરવાથી તમને મનવાંછિત જીવનસાથી મળી શકે છે.
- શિક્ષણ સાથે જોડાયેલી કોઇ સમસ્યા હોય તો કેળાના ઝાડની પૂજા કરવી. જેથી તમને લાભ મળશે.

- પતિ-પત્ની વચ્ચે મતભેદ અને લડાઈ દૂર કરવા માટે કેળાનું ઝાડ લાભકારી સાબિત થશે. પતિ-પત્ની વચ્ચેનો પ્રેમ મજબૂત કરવા માટે કેળાનાં વૃક્ષની પૂજા કરી તેની સામે ઘીનો દીવો કરવો.
- જો તમારૂ સંતાન તમને દુઃખ આપી રહ્યું હોય કે કોઈ રીતે પરેશાન કરી રહ્યું હોય, તો ગુરુવારનાં દિવસે કેળાનાં ઝાડ નીચે બેસીને ગુરુ ગ્રહનાં મંત્રનો જાપ કરવાથી તમારી સમસ્યા દૂર થશે.