દેશમાં ફરી એકવાર કોરોના કેસ વધી રહ્યાં છે, ત્યારે તંત્રએ લોકોની સુરક્ષાને ધ્યાને લઈને કડક પગલાં લીધા. સાથે આરોગ્ય તંત્રએ પણ કોરોનાને અટકાવવા માટેની તમામ કામગીરી શરૂ કરી દીધી છે. આપણે સૌ જાણીએ કે, માંડ જનજીવન પહેલાની જેમ સામાન્ય બની રહ્યું હતું. એવામાં કોરોનાએ ઉથલો મારતાં લોકોની ચિંતામાં વધારો કર્યો છે.
હવે જ્યારે કુંભનો મેળો નજીક આવી રહ્યો છે,ત્યારે તંત્રએ આ મેળાને ધ્યાનમાં લઈને કેટલાંક નિર્ણયો જાહેર કર્યાં છે. મળતી માહિ઼તી પ્રમાણે કુંભ મેળા દરમિયાન હરિદ્વાર આવેલા સાધુ-સંતોએ પણ કોરોનાનો નેગેટિવનો રિપોર્ટ લાવવો પડશે. કુંભની સૂચના બાદ આ પ્રક્રિયા લાગું કરવામાં આવશે.
જો કે, અખાડાની સારવાર માટે તમામ સાધુ-સંતો હરિદ્વાર પહોંચવા લાગ્યા છે. હમણાં બધા સંતો કોઈ નોંધણી અને કોરોના નેગેટિવ રિપોર્ટ વિના આવી રહ્યા છે. આવી સ્થિતિમાં, ઘણા રાજ્યોમાં કોરોનાના વધતા જતા કેસો પછી વહીવટને પડકારવામાં આવી રહ્યો છે, જ્યારે સંતો આ વાતથી નારાજ જોવા મળી રહ્યાં છે.
કુંભનો મેળો હજુ શરૂ થયો નથી, પરંતુ હરિદ્વારમાં સાધુ-સંતોનું આગમન સાથે કુંભ જેવું વાતાવરણ દેખાવા માંડ્યું છે. હરિદ્વાર હવે ભગવા રંગમાં દેખાઈ રહ્યો છે. પરંતુ કોરોનાની છાયા હેઠળ બનતા આ મહાકુંભે પણ સંતોની ચિંતા વધારી છે. કારણ કે કુંભની સૂચના પછી, હરિદ્વાર આવતા તમામ સંતોએ કોરોના નેગેટિવનો રિર્પોર્ટ લાવવો પડશે. જો કે, સંતો આ મામલે ગુસ્સે છે, પરંતુ આ તમામ કડક નિયમો કેન્દ્ર અને રાજ્ય સરકારની એસઓપીમાં રાખવામાં આવ્યા છે.
જિલ્લા મેજિસ્ટ્રેટ સી રવિશંકરે સ્પષ્ટ કહ્યું છે કે, જ્યારે કુંભ મેળાની સૂચના બહાર પડશે, ત્યારે કુંભમાં આવતા દરેક ભક્તોએ કોરોનાનો નેગેટિવનો રિપોર્ટ લઈને આવવું પડશે. . પછી ભલે તે સંત હોય કે સામાન્ય ભક્ત.
સંતોમાં આક્રોશ..
સેજ સંતો પહેલાથી જ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવતી એસ.ઓ.પી.થી નારાજ છે. પરંતુ હવે કુંભ દરમિયાન પણ સંતોને પમણ કોરોના રિપોર્ટ નેગેટિવ ફરજિયાત થતાં લોકોમાં રોષમાં જોવા મળી રહ્યો છે.
અખાડા કાઉન્સિલના પ્રમુખ નરેન્દ્ર ગિરી મહારાજે જણાવ્યું હતું કે, ખેડૂત આંદોલન અથવા ચૂંટણી નથી. પરંતુ હરિદ્વાર કુંભનો મેળો છે. એટલે ભક્તને રોકવા મુકશ્કેલ છે. એટલે સરકારે કુંભ થશે કે નહીં તે અંગે અગાઉથી નિર્ણય લેવો જોઇએ.
ઉલ્લેખનીય છે કે, સાધુ-સંતો દૂર-દૂરથી આવે છે. આ ફક્ત એક મેળો નથી.પરંતુ લોકઆસ્થાનું ધામ છે. જેની સુંદરતા સાધુ-સંતો છે. એટલે સરકારે લીધેલો નિર્ણય આ મેળા પર અસર લાવશે તે જાણવું રહેશે. આ બધાની ખાસ યાદ રાખવું કે, સરકારે મેળાના આયોજનને લઈને કોઈ જાહેરાત કરી નથી.