રવિન્દ્ર જાડેજા ક્રિકેટની દુનિયાનો ચમકતો સિતારો છે. તેનું બેટિંગ, બોલિંગ અને ફીલ્ડિંગ ત્રણેય જબરદસ્ત છે. જાડેજા ભારતીય ચીમના એક શાનદાર ઓલરાઉન્ડરની શ્રેણીમાં આવે છે. શું તમને તેનું પુરું નામ ખબર છે..? નથી ખબર તો આવો આપને તે પણ જણાવી દઈએ. રવિન્દ્ર જાડેજાનું પુરું નામ રવિન્દ્ર સિંહ અનિરુદ્ધ સિંહ જાડેજા છે. જેમનો જન્મ 6 ડિસેમ્બર 1988માં ગુજરાતના જામનગરમાં થયો હતો. તેઓ ભારતીય ક્રિકેટ ટીમના ડાબા હાથના ખેલાડી છે. તેઓ બેટિંગની સાથે-સાથે બોલિંગ પણ મોરચો સંભાળે છે.
જાડેજા ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરે છે. આપને અહીં જાણીને નવાઈ એ લાગશે કે, જાડેજા જેટલા જ તેના ક્રિકેટમાં પ્રદર્શનને લઈને ચર્ચામાં રહે છે. તેટલા જ તેમના લગ્ન જીવનને લઈને પણ ચર્ચામાં રહે છે. જાડેજાની સાથે તેની પત્ની રીવા બા પણ ખુબ ચર્ચામાં રહે છે. પરંતુ રીવાબાનું નામ એકવાર વિવાદમાં આવી ગયું હતું.
જીહા, આજથી થોડા વર્ષો પહેલા જાડેજાની પત્ની પર પોલીસ કોન્સ્ટેબલ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર જાડેજાની પત્નીની કાર એક પોલીસ કર્મચારીની બાઇક સાથે ટકરાઈ હતી. જે બાદ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. બંને વચ્ચે ઉગ્ર બોલાચાલીને લઈને પોલીસ કોન્સ્ટેબલે રિવાબાને ખુલ્લેઆમ થપ્પડ મારી હતી. આપને જણાવી દઇએ કે રીવાબા સોલંકી તેની BMW કાર ચલાવી રહી હતી ત્યારે તેની કાર રસ્તા પર પોલીસની બાઇક સાથે ટકરાઈ હતી. આ પછી બંને વચ્ચે ઝઘડો શરૂ થયો હતો અને બાદમાં પોલીસકર્મીએ રીવાને થપ્પડ મારી હતી. આ વિવાદ બાદ તે પોલીસ કર્મચારી સામે મોટી કાર્યવાહી કરવામાં આવી હતી અને બાદમાં આરોપી પોલીસકર્મીની ધરપકડ કરવામાં આવી હતી.
ચશ્મદીદનું શું કહેવું હતું..
ઘટના સ્થળ પર હાજર લોકોના જણાવ્યા મુજબ, ભૂલ કોન્સ્ટેબલની હતી નહીં કે રીવા બાની.. રીવાબા જામનગરના પોતાના જોગર્સ પાર્ક સ્થિત ઘરેથી સેક્શન રોડ તરફ પોતાની BNWમાં શોપિંગ માટે નિકળી હતી. પોલીસ કોન્સ્ટેબલ તેની પલ્સર બાઇક ઉપર રોંગ સાઈડ પરથી આવી રહ્યો હતો અને રીવાબા સોલંકીની કાર સાથે અથડાતા તે નીચે પડ્યો. જોકે ત્યાર બાદ રીવાએ તેની કારનો ગ્લાસ નીચે ઉતાર્યો અને તે પોલીસ કર્મચારીની હાલત વિશે પૂછપરછ કરવા જઇ રહી હતી કે કોન્સ્ટેબલે અચાનક તેના પર હુમલો કર્યો હતો. અને તેની સાથે મારામારી પર ઉતરી આવ્યો.
આપને જણાવી દઈએ કે, રિવાબાના એપ્રિલ 2016માં રવિન્દ્ર જાડેજા સાથે લગ્ન થયા હતા. અને 2017માં આ કપલે એક બાળકને જન્મ આપ્યો હતો. બંનેએ સોશિયલ મીડિયા પર પોતાના બાળકનો ફોટો પણ શેર કર્યો હતો. રિવાબા એ ઘણી વાર સ્ટેડિયમમાં પણ રવિન્દ્રને સપોર્ટ કર્યો છે.
રવિન્દ્ર જાડેજા ભલે આજે ભારતીય ટીમનો ચમકતો તારો હોઈ શકે છે અને વૈભવી જીવન જીવે છે, પરંતુ એક સમય એવો હતો. જ્યારે તેઓએ ખૂબ જ સંઘર્ષ કર્યો છે. રવિન્દ્ર જાડેજા ક્રિકેટ પ્રેમીઓના દિલમાં વિશેષ સ્થાન ધરાવે છે. ભારતીય ક્રિકેટને નવી ઊંચાઈ પર લઈ જનારા રવિન્દ્ર જાડેજાનું બાળપણ ગરીબીમાં વિત્યું હતું. પરંતુ આજે તેણે એ ઊંચાઈ સ્થાપિત કરી છે કે, સૌકોઈ તેને સર બાપુ કહીને રુઆબથી બોલાવે છે.

આપને જણાવી દઈએ કે રવિન્દ્ર જાડેજાનું બાળપણ ગરીબીમાં પસાર થયું હતું. તેના પિતા અનિરુધ એક ખાનગી કંપનીમાં ગાર્ડ તરીકે નોકરી કરતા હતા. તે જાડેજાને સૈન્ય અધિકારી બનાવવા માંગતો હતા. પરંતુ જાડેજાનો ક્રિકેટ તરફ ઝુકાવ્યો હતો અને તેની માતા લતાબા પણ ઇચ્છતા હતા કે તેનો પુત્ર ક્રિકેટર બને. પરંતુ તેનું સ્વપ્ન સાકાર થતાં પહેલાં તે 2005 માં અકસ્માતમાં મૃત્યુ પાપ્યા. તેની માતાના અવસાન પછી, 17-વર્ષીય જાડેજા એટલો વિખેરાઈ ગયો હતો કે તેણે ક્રિકેટ છોડવાનું મન બનાવી લીધું હતું. પરંતુ તેની મોટી બહેને તેની સંભાળ લીધો અને આગળ રમવા માટે તૈયાર થયો.
જે પછી, ધીરે ધીરે આગળ વધતા, વર્ષ 2009 માં, રવિન્દ્ર જાડેજાએ તેની માતાનું સ્વપ્ન પૂર્ણ કર્યું. તે જ વર્ષે, તેને ટીમ ઈન્ડિયા તરફથી વનડે અને ટી-ટ્વેન્ટી રમવાની તક મળી અને 2012 માં તેણે ટેસ્ટમાં પ્રવેશ પણ કર્યો. જે બાદ જાડેજાના સ્ટાર્સ ઊંચાઈએ પહોંચવા માંડ્યા. આને ધ્યાનમાં રાખીને, 12 ફેબ્રુઆરી, 2015ના રોજ પ્રધાનમંત્રી મોદીએ પણ તેમને ‘સર’ તરીકે સંબોધન કર્યું હતું. એક ટ્વીટ દ્વારા મોદીએ કહ્યું હતું કે સર જાડેજા તમારા ચાહક કોણ નથી?