આજની વ્યસ્ત જીવનમાં આપણે આપણા શરીર પર વધારે ધ્યાન આપી શકતા નથી. જેના કારણે મનુષ્ય ઘણીવાર અનેક રોગોનો શિકાર બને છે. કામથી ભરેલા જીવનમાં આજકાલ થાક, માથાનો દુખાવો અને તણાવ સામાન્ય બની ગયા છે. જો તમે પણ આ સમસ્યાઓથી પરેશાન છો તો ગભરાવાની જરૂર નથી. કારણ કે, અમે તમને એક એવી વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમને આ મુશ્કેલીઓથી મુક્ત કરશે, સાથે-સાથે મોટી બીમારીઓથી પણ બચાવશે. આવો જાણીએ અળસીના ગુણકારી ફાયદા વિશે…
અળસી એ પોષક તત્ત્વોનો સંગ્રહ છે, હાર્ટ એટેકથી બચાવે છે
કદાચ તમને ખબર નહીં હોય કે, અળસીના નાના બીજ પોષક તત્ત્વોનો ભંડાર છે, જે તમને ઘણા ગંભીર રોગોથી સુરક્ષિત રાખે છે. અળસી શરીરના કોલેસ્ટરોલને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે, હૃદયની ધમનીઓમાં જમા થયેલ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે, જે લોહીનું પરિભ્રમણ બરાબર બનાવે છે અને હાર્ટ અટેકની સમસ્યા સામે રક્ષણ આપે છે. આ ઉપરાંત અળસીમાં ફાઇબર અને ઓમેગા ફેટી એસિડ્સ પણ ભરપુર હોય છે, જે શરીરને મજબૂત રાખે છે.
જાડાપણું દૂર છે
આજકાલ લોકો મેદસ્વીપણાથી સૌથી વધુ ચિંતિત છે. લોકો ઓફિસમાં કામ કરવા અને કલાકો સુધી બેસી રહેવાને કારણે સતત મેદસ્વી બની રહ્યા છે. પરંતુ જો તમે અળસીનું તેલ ખાવામાં ઉપયોગ કરો છો તો નિશ્ચિતરૂપે તમારું મેદસ્વીપણું ઓછું થઈ જશે. કારણ કે, વજન ઘટાડવા માટે શરીરમાં ઓમેગા -3 જરૂરી છે, જ્યારે ઓક્સિગ -3 નો પૂરતો જથ્થો અળસીના તેલમાં જોવા મળે છે. જેનાથી તમારા શરીરની ચરબી બળી જાય છે.
એક ચપટી અળસી કેન્સર જેવા રોગોથી રક્ષણ આપે છે.
કદાચ તમને જાણીને નવાઈ લાગશે કે, એળસીનું સેવન કેન્સર જેવા રોગોથી પણ તમારું રક્ષણ કરે છે. ખરેખર, એન્ટિ-કેન્સર હોર્મોન્સના તત્વો અળસીમાંમાં જોવા મળે છે. જો તમે દરરોજ ફક્ત એક ચપટી અળસી ખાવ છો તો તમે પ્રોટેસ્ટ કેન્સર, કોલોન કેન્સર, બેસ્ટ કેન્સરના જોખમથી પણ પોતાને બચી શકો છો. એટલે ડોકટરો અળસીનું સેવન કરવાની સલાહ આપી હતી.
પુરુષોએ અળસીનું સેવન કરવું જોઈએ
ખાસ કરીને પુરુષો જે ખુરશી પર બેસીને સતત કામ કરે છે, તેઓએ અળસી સેવન ખાસ કરવું જોઈએ. કારણ કે, તે અળસી પોષક તત્વોથી ભરપુર હોય છે. જો તમે સવારે કામ પર જતાં પહેલાં એક ચપટી અળસી ખાઓ છો, તો તે તમને તમારા આખા શરીરમાં ઊર્જાસભરતાનો અનુભવ થાય છે.
ચમકતી ત્વચા માટે કરો અળસીનો ઉપયોગ
અળસી ફક્ત રોગોથી તમારું રક્ષણ નથી કરતું, પરંતુ તે તમારી ત્વચા માટે પણ મહત્વપૂર્ણ છે. જો તમને ચમકતી ત્વચા જોઈએ છે, ગરમ પાણીમાં અળસી ઉકાળીને તેની પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવવાથી તે ત્વચાને અદભૂત ગ્લો આવે છે. તેમજ ચહેરા પરતી પિમ્પલ્સ અને ફોલ્લીઓ પણ દૂર થાય છે.
અળસીથી વાળ મજબૂત રાખો
વાળ ખરવાએ આજના યુગમાં પુરુષો અને સ્ત્રીઓની સૌથી મોટી સમસ્યા છે. દરેક લોકો વાળ ખરતાની સમસ્યાથી પરેશાન થાય છે. જો તમે ખરતા અટકાવવા અને તેમને મજબૂત બનાવવા માંગતા હોય અળસી રોજ ખાવાનું રાખો. કારણ કે, તેમાં વિટામિન્સ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. તેનાથી તમારા વાળ મજબૂત બને છે. તમે તમારા વાળમાં અળસીનું તેલ લગાવી શકો છો અને તેને મજબૂત બનાવી શકો છો.
ખાલી પેટ ખાવાથી આશ્ચર્યજનક ફાયદા થાય છે
જો તમે ખાલી પેટ પર અળસી ખાવ છો તો તેનાથી તમને ઘણો ફાયદો થાય છે, આ સિવાય તમે અળસી પીસીને એક પાવડર બનાવી શકો છો. અળસીને પાણીમાં પલાળીને ખાવાથી પણ કબજિયાતની સમસ્યા દૂર થાય છે.