ઉત્તરપ્રદેશમાં લગ્ન દરમિયાન પોલીસ અચાનક આવીને વરરાજાને પકડી પોલીસ સ્ટેશન લઈ ગઈ. જે બાદ લગ્ન અધવચ્ચે જ બંધ કરવું પડ્યું હતું. માહિતી મુજબ ગોરખપુરના હરપુર બુધાત પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એક ગામના લગ્ન હતા. વરરાજા જાન લઈને નીકળ્યો જ હતો કે, પોલીસે તેની રસ્તામાંથી ધરપકડ કરી લીધી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર વરરાજા ઉપર એક યુવતીએ આકરા આરોપ લગાવ્યા હતા. જેના કારણે તેને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. પરંતુ બાદમાં મહિલા તેનું નિવેદન બદલી નાખ્યું હતું.
સંતકબીરનગર જિલ્લાના મહુળી પોલીસ સ્ટેશન વિસ્તારમાં યુવકના લગ્ન હતા. સાંજે તેની જાન ગામની બહાર આવી રહી હતી. આ દરમિયાન જ પીઆરવી (પોલીસ રિસ્પોન્સ વ્હીકલ) ની ટીમે તેને કસ્ટડીમાં લીધો હતો. યુવકની પોલીસ સ્ટેશનમાં પુછપરછ થઈ રહી હતી, કે ક્યાં પરિવારના લોકો પણ ત્યાં પહોંચી ગયા હતા. જેને લઈને પોલીસ મથકમાં હડકંપ મચી ગઈ હતી. જો કે, બાદમાં પોલીસે મામલો થાળે પાડ્યો હતો.
આ મામલે માહિતી આપતાં પોલીસે જણાવ્યું હતું કે, આ યુવકનો નજીકના ગામની અન્ય એક યુવતીએ આરોપ લગાવ્યો છે કે, તેણે પહેલા જ તેની સાથે લગ્ન કરી લીધા છે. જેના કારણે પોલીસે પુછપરછ માટે વરરાજાને પોલીસ સ્ટેશનમાં લાવી હતી. પોલીસે આરોપ લગાવનાર મહિલાને પણ પોલીસ સ્ટેશનમાંબોલાવી હતી. પરંતુ યુવતીએ પછીથી એમ કહીને પોતાનું નિવેદન પાછું ખેંચ્યું કે તેણે તેની સાથે લગ્ન કર્યા નથી. પરંતુ લગ્ન કરવાનું વચન આપ્યું હતું. પોલીસનું કહેવું છે કે, આ મામલાનો નિર્ણય ન આવે ત્યાં સુધી આ વ્યક્તિ લગ્ન કરી શકશે નહીં.
પોલીસ મથકના દેવેન્દ્રકુમારસિંહે જણાવ્યું હતું કે મહિલાએ યુપી 112 પર ફરિયાદ કરી હતી. બંનેની પૂછપરછ ચાલી રહી છે. હજી સુધી મહિલાએ કોઈ તાકીર આપી નથી. આ કેસના નિકાલ પછી જ યુવકના લગ્ન કરાશે.
એસ.પી. સાઉથના એ.કે.સિંઘે જણાવ્યું કે, આ યુવક હકીકત સામે આવ્યા બાદ લગ્ન કરી શકે છે. કોઈનું જીવન ઉતાવળમાં બરબાદ ના થઈ શકે. મહિલા લગ્ન કર્યુ હોવાનું આરોપ લગાવી રહી છે, પરંતુ તે હજુ સુધી કોઈ પુરાવા બતાવી શકી નથી. બીજી તરફ વરરાજાની ગેરહાજરીને કારણે દુલ્હન પક્ષના લોકોએ પણ નારાજગી વ્યક્ત કરી હતી.