દરેક મનુષ્ય પોતાના જીવનમાં પોતાના શોખ પૂરા કરવા ઈચ્છે છે. યથાર્ત મહેનત કરવા છતાં તેને ધાર્યા મુજબ સફળતા મળતી નથી. જીવનમાં સફળતા મેળવવા માટે નોકરી અને ધાર્યા મુજબનું કામ થવું તેમના માટે પ્રાથમિકતા હોય છે. નોકરી મેળવવા માટે વ્યક્તિ અનેક જગ્યાએ જતો હોય છે. તેમ છતાં સફળતા મળતી નથી. મનુષ્યને તેની ઈચ્છાનુસાર નોકરી ન મળે તો તે દુખી થઈ જાય છે. જેનું કારણ છે વાસ્તુદોષ. ત્યારે આજે અમે આપને જણાવીશું આ ટોટકા વિશે કે જેનાથી તમને ધાર્યા મુજબ સફળતા પણ મળશે અને મનગમતી નોકરી પણ મળશે.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, કેટલીક વખત વાતાવરણમાં રહેલી ઉર્જા તમને સફળ થવા દેથી નથી. જો તમે તેનાથી છૂટકારો મેળવવા માંગતા હોય તો આ વાસ્તુ ટીપ્સ તમારી મદદ કરી શકે છે. આવો જાણીએ આ વાસ્તુ ટિપ્સ વિશે કે જેનાથી તમારી બાધા દૂર થશે.
હનુમાન ચાલીસા
શ્રીરામના ભક્ત હનુમાનને સંકટ મોચન કહેવામાં આવે છે. વ્યક્તિ કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરી રહ્યો હોય તો હનુમાન ચાલીસા કરવાથી તમામ સંકટો દૂર થાય છે. વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ હનુમાનજીને શક્તિશાળી માનવામાં આવે છે. કાર્યસ્થળ પર સફળતા મેળવવા માટે હનુમાન ચાલિસાનો પાઠ કરવો. એવી માન્યતા છે કે 108 વખત હનુમાન ચાલીસાનો જાપ કરવાથી બધી સમસ્યા દૂર થાય છે. ખાસ કરીને શનિવારના દિવસે હનુમાન ચાલીસા સાથે હનુમાનજીની પૂજા કરવી.
સોમવારે કરો આ ઉપાય
સારી નોકરીની શોધમાં હોય તો તમારે સોમવારનું વ્રત રાખવું લાભકારી માનવામાં આવે છે. સોમવારનું વ્રત કરીને ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા અર્ચના કરવી જોઈએ. સોમવારના દિવસે દૂધ ભગવાન શિવને અર્પિત કરવું તેનાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. આ સાથે જ દાન પણ કરવું.
ગળપણ ખાવું
જ્યારે પણ નોકરીની શોધમાં જઈ રહ્યાં હોય ત્યારે ઘરેથી નીકળો ત્યારે મો મીઠું કરવું. અથવા દહીં ખાયને ઘરની બહાર પગ મૂકવો. જેથી તમને ધાર્યા મુજબ સફળતા મળશે. જ્યારે પણ ઘરની બહાર જઈ રહ્યા હોય ત્યારે સફેદ ગાયને ગોળનું સેવન કરાવવું વાસ્તુની દ્રષ્ટીએ લાભકારક માનવામાં આવે છે.
લીંબુના ટોટકા
જો નોકરી મેળવવામાં વધારે સમસ્યા થઈ રહી હોય અને ધાર્યા મુજબ પરિણામ મળતું ન હોય તો શિવ મંદિરમાં જઈને ડાઘ વગરનું લીંબુ લઈને જવું અને ત્યાં ગંગા જળ તેના પર છાંટીને લીંબુને પોતાના માથા પર 7 વખત ફેરવવું. તેના પછી લીંબુના ચાર ટુકડા કરીને તેને ચાર રસ્તા પર મુકી દેવુ. આ ટોટકા સતત 41 દિવસ સુધી કરવા. એવું માનવામાં આવે છે આ ટોટકાથી તમામ સમસ્યાઓ દૂર થાય છે.