હિન્દુ પરંપરા અનુસાર, માઘ મહિનાની શુક્લ પક્ષની પંચમી તિથિએ દર વર્ષે વસંત પંચમીનો પાવન પર્વ માનવવામાં આવે છે. જીવનમાં ખુશીઓનું સંચાર કરનારો વસંત પંચમીનો તહેવાર વર્ષ 2021માં 16 ફેબ્રુઆરીના રોજ માનવવામાં આવશે. જોકે, વસંતનું નામ સાંભળીને જ મન સ્મિત આપવા લાગે છે, સાથે ચહેરા પરથી તણાવનો ભાવ ઘટવા લાગે છે.
વસંતને ઋતુઓને રાજા માનવામાં આવે છે. લીલાછમ વૃક્ષ, પશુ પક્ષી તમામ ખુશી-ખુશી વસંતનું સ્વાગત કરે છે. ચારોતરફ હરિયાળી છવાય જાય છે, ખીલેલા ફૂલની સુગંધને પ્રોત્સાહન આપીને હવામાન માનવ મનને ખુશ કરી દે છે. આ ઉપરાંત આ સમય જીવનમાં કોઈ નવું કરવાની ઉમંગ જાગવા લાગે છે. જેમ કે તરસાને પાણી અને ભુખ્યાને ભોજન સંતુષ્ટ કરે છે, આ જ રીતે શું વર્ષ 2021માં વસંત જીવનમાં ખુશહાલી લઈને આવી રહ્યું છે?
વસંત પંચમી શુભ મુહૂર્ત 2021
16 ફેબ્રુઆરી દિવસ મંગળવાર
-પૂજા મુહૂર્ત 16 ફેબ્રુઆરી સવારે 6 વાગ્યે 59 મીનિટથી બપોરે 12 વાગ્યે 35 મીનિટ સુધી
અવધિ-05 કલાક 37 મીનિટ
-વસંત પંચમી મધ્યાહ્નનું ક્ષણ 12 વાગીને 35 મીનિટે
-પંચમી તિથિ પ્રારંભ 16 ફેબ્રુઆરીને 03 વાગ્યે 36 મીનિટ પર
પં-ચમી તિથિ સમાપ્ત 17 ફેબ્રુઆરીની સવારે 5 વાગ્યે 46 મીનિટ
2021માં કેવો રહેશે આ દિવસ
આ વર્ષ ગ્રહનો મનમેળ યોગ્ય ન હોવાના કારણ 17 એપ્રિલ સુધી લગ્ન માટે શુભ દિવસ નથી, પરંતુ ત્યાં એ પણ જણાવવામાં આવે છે કે વિવાહની ઉત્સુકતાથી પ્રતીક્ષા કરનારા માટે વસંત પંચમીનો દિવસ શુભ રહેશે. આ દિવસ વરરાજાઓ ઘોડીએ ચડી શકશે અને નવવધૂ ડોલી પર સવાર થઈ શકશે.
જાણકારી અનુસાર, આ દિવસ દેશમાં ઘણી સામાજિક સંસ્થાએ સમૂહ લગ્નોનું આયોજન કરવાની તૈયારી કરી છે. આ વર્ષે વસંત પંચમી 16 ફેબ્રુઆરીના રોજ આવી રહી છે. આ દિવસ સર્વાર્થ સિદ્ધિ, અમૃત સિદ્ધિ તથા રવિયોગ એક સાથે બની રહ્યો છે, મંગળવારના દિવસે પંચમી હોવાના કારણ મંગલકારી પણ હશે. તેમજ મકર રાશિમાં 4 ગ્રહ ગુરૂ, શનિ, શુક્ર તથા બુધ એકસાથે હશે અને મંગળ પોતાના સ્વરાશિ મેષમાં બિરાજમાન રહેશે.
આ બધું મીન રાશિ અને રેવતી નક્ષત્રના આધાની થશે. વસંત પંચમીના દિવસે તમને માતા સરસ્વતીની પૂજા માટે કુલ 05 કલાકે 47 મીનિટનો સમય મળશે. તમારે તેમના મધ્ય જ માતા સરસ્વતીની પૂજા કરવા જોઈએ. 16 ફેબ્રુઆરી સવારે 06 વાગ્યે 59 મીનિટે બપોરે 12 વાગ્યે 35 મીનિટના વચ્ચે સરસ્વતી પૂજાનું મુહૂર્ત બની રહ્યું છે.
વીણાવાદનીનો પ્રકટોત્સવ…
આપણાં ધર્મગ્રંથોમાં વસંત પંચમીને ઘણાં નામોથી ઓળખવામાં આવે છે, જેમ કે શ્રી પંચમી, ઋષિ પંચમી, સરસ્વતી પંચમી આદિ. એવી માન્યતા છે કે આ જ દિવસ વિદ્યાના દેવી માતા સરસ્વતીનો જન્મ થયો હતો. ઋગ્વેદમાં એવું વર્ણન મળે છે કે બ્રહ્માજી પોતાની સૃષ્ટિના સર્જનથી સંતુષ્ટ ન હતાં. ચારોતરફ મૌન છવાયેલું હતું, ત્યારે તેમણે પોતાના કમણ્ડથી જળનો છંટકાવ કર્યો, તેમનાથી હાથમાં વીણા લઈ એક ચતુર્ભુજી સ્ત્રી પ્રકટ થયાં. બ્રહ્માજીના આદેશ પર જેવા જ વીણા પર મધુર સુર છાટ્યું, સંસારને ધ્વનિ મળી, વાણી મળી, બ્રહ્માજીએ દેવીનું નામ રાખ્યું સરસ્વતી, જેમને તમે શારદા, વીણાવાદની નામથી પણ જાણો છો. વસંત પંચમીના દિવસે આખા ભારત સહિત દુનિયાના ઘણાં દેશોમાં લોકો માતા સરસ્વતીનું પૂજન કરે છે.
બ્રહ્માજએ દેવીથી વીણા વગાડવાનો અનુરોધ કર્યો અને જેવો જ દેવીએ વીણાનો મધુર નાદ કર્યો, સંસારના સમસ્ત જીવ-જંતુઓને વાણી પ્રાપ્ત થઈ ગઈ. જળધારામાં કોલાહલ વ્યાપ્ત થઈ ગયો તેમજ પવન ચાલવાથી સરસાહટ થવા લાગી. ત્યારે બ્રહ્માજીએ તે દેવીને વાણીના દેવી સરસ્વતી કહ્યાં. સરસ્વતીને બાગીશ્વરી, ભગવતી, શારદા, વીણાવાદિની અને બાગ્દેવી સહિત અનેક નામોથી પૂજવામાં આવે છે. આ વિદ્યા અને બુદ્ધિના પ્રદાતા છે, સંગીતની ઉત્પતિ કરવા કારણ આ સંગીતના દેવી કહેવાય છે.
આ દિવસ શું કરવુ…?
-આ દિવસ સગાઈ અથવા લગ્ન કરી શકાય છે
-આ દિવસ નવો વ્યવસાયનો આરંભ કરી શકાય છે.
-આ દિવસ ગૃહ પ્રવેશ, મકાનની ની પાયોં નાંખી શકાય છે.
-આ દિવસ નવું વાહન, વાસણ, સોનું, ઘર, નવા કપડા, આભૂષણ, વાદ્ય યંત્ર, મ્યુજિક સિસ્ટમ વગેરે ખરીદવાનો શુભ દિવસ છે.
-આ દિવસ કોઈ કોર્સમાં એડમિશન, વિદેશ જવા માટે આવેદન અથવા સંબંધિત પરીક્ષા આપવા પર શુભ રહેશે.
-સાથે જ આ દિવસ લાંબાગાળાનું રોકાણ, બેંક ખાતુ ખોલાવવું શુભ રહેશે.
-કોઈ નવીન કાર્ય આરંભ કરો, શિક્ષા અથવા સંગીતથી સંબંધિત શુભ રહેશે.
-પેન, નકલ, પુસ્તકની પણ પૂજા…
વસંત પંચમીના દિવસે પેન, નકલ, પુસ્તકોની પણ પૂજા કરવામાં આવે છે. આમ કરવાથી દેવી સરસ્વતી વરદાન પ્રદાન કરે છે. ભારત દેશના સરસ્વતી, વિષ્ણુ અને શિવ મંદિરોમાં આ તહેવારને ઉત્સાહ સર્વાધિક હોય છે. મોટાભાગના સ્થાનો પર મેળાનું આયોજન કરવામાં આવે છે, જે મુખ્ય રીતે સંબંધિત દેવી-દેવતાઓને જ સમર્પિત હોય છે.
રાશિનુસાર આમ સમજો
મેષ રાશિ
વસંત પંચમીના દિવસે સરસ્વતી માતાની પૂજા દરમિયાન સરસ્વતી કવચ પાઠ અવશ્ય કરો. આમ કરવાથી બુદ્ધિ મળશે. આ ઉપરંત એકાગ્રતાનો અભાવ પણ યોગ્ય થઈ જશે.
વૃષભ રાશિ
માતા સરસ્વતીને પ્રસન્ન કરવા માટે તેમને સફેદ ચંદનનું તિલક લગાવો અને ફૂલ અર્પણ કરો. આમ કરવાથી જ્ઞાનમાં વધારો થવાની સાથો સાથ જે પણ સમસ્યાઓ છે, તેનાથી પરિણામ મળશે.
મિથુન રાશિ
માતા સરસ્વતીને લીલા રંગની પેન અર્પણ કરો અને તેમનાથી જ તમારા તમામ કાર્યોને પૂર્ણ કરો. આ કાર્ય તમારી લખવાની સમસ્યાને સમાપ્ત કરવામાં મદદ કરશે.
કર્ક રાશિ
માતા સરસ્વતીને ખીરનો ભોગ લાગાવવો જોઈએ. સંગીત ક્ષેત્રથી નાતો રાખનારા વિદ્યાર્થીને આવું કરવાથી ઘણો ફાયદો થશે.
સિંહ રાશિ
માતા સરસ્વતીની પૂજા દરમિયાન ગાયત્રી મંત્રનો જાપ અવશ્ય કરો. આમ કરવાથી વિદેશમાં રહીને અભ્યાસ કરનારા વિદ્યાર્થીની ઈચ્છા પૂરી થઈ જશે.
કન્યા રાશિ
ગરીબ બાળકોમાં ભણવાની વસ્તું વહેચો, પેન્સિલ, પુસ્તક વગેરે. જો તમે આમ કરશો તો અભ્યાસમાં આવી રહેલી તમારી પરેશાનીઓ દૂર કરી શકાય છે.
તુલા રાશિ
કોઈ બ્રાહ્મણને સફેદ કપડા દાનમાં આપો. જો કોઈ વિદ્યાર્થી આમ કરશે તો તેમને વાણીથી જોડાયેલી કોઈ પરેશાનીથી છુટાકારો મળી શકે છે અને તમારી વાણીમાં મધુરતા આવશે.
વૃશ્ચિક રાશિ
જો યાદશક્તિને લગતી કોઈ પરેશાની છે તો તેને તમે માતા સરસ્વતીની આરાધના કરીને દૂર કરી શકો છો. માતા સરસ્વતીની પૂજા બાદ લાલ રંગની પેન તેમને અર્પણ કરો.
ધન રાશિ
પીળા રંગની કોઈ મીઠાઈ અર્પણ કરો. આથી તમારી નિર્ણય લેવાની ક્ષમતા વધી જશે. સાથે જ તમારી ઉચ્ચ શિક્ષાની ઈચ્છા પણ માતા સરસ્વતી અવશ્ય પૂર્ણ કરશે.
મકર રાશિ
ગરીબ વ્યક્તિને સફેદ રંગનો અનાજ દાન કરો. આમ કરવાથી માતા સરસ્વતી તમને બુદ્ધિબળમાં વિકાસ થશે.
કુંભ રાશિ
ગરીબ બાળકોમાં સ્કૂલ બેગ અને અન્ય જરૂરી વસ્તુનુ દાન કરો. માતા સરસ્વતીની કૃપા તમારા પર બની રહેશે અને તમારો આત્મ વિશ્વાસ પણ વધશે.
મીન રાશિ
નાની કન્યાઓમાં પીળા રંગના કપડાનું દાન કરો. આથી તમારા કરિયરમાં આવનારી સમસ્યાઓનું નિવારણ થશે. તમારી ઉપર માતા સરસ્વતીની આશીર્વાદ બની રહેશે.
આમ કરો વસંત પંચમીની પૂજા
-આ દિવસ વહેલી સવારે સ્નાન કરીને પીળા વસ્ત્ર ધારણ કરો.
-માતા સરસ્વતીની પ્રતિમાને સામે રાખીને કળશ સ્થાપિત કરો.
-ત્યારબાદ માતા સરસ્વતી અને ભગવાન ગણેશ તેમજ નવગ્રહની વિધિવત પૂજા કરો.
-માતાની પૂજા કરતા સમય સૌ પહેલા તેમને સ્નાન કરાઓ.
-પરી માતાનું શ્રૃંગાર કરાઓ અને તેમને સફેદ વસ્ત્ર પહેરાઓ.
-પ્રસાદ રૂપમાં ખીર અથવા દૂધથી બનાવેલી મીઠાઈ અર્પણ કરી શકો છો.
-ત્યારબાદ સફેદ ફૂલ માતાને અર્પણ કરો.
-વિદ્યાર્થી માતા સરસ્વીની પૂજા કરી ગરીબ બાળકોમાં કમળ તેમજ પુસ્તકનું દાન કરો.
-સંગીતથી જોડાયેલી વ્યક્તિ પોતાના સાધન પર તિલક લગાવીને માતાની આરાધના કરો.
-દેવી સરસ્વતીને આ મંત્રનો જાપ કરવાથી ”શ્રી હ્રીં સરસ્વત્યૈ સ્વાહા” અસીમ પુણ્ય મળે છે.