વિજ્ઞાનમાં જ્યાં ગ્રહણ એક ખગોળીય અવસ્થા છે, જેમાં કોઈ ખગોળીય પિંડ સૂર્ય અને બીજો ખગોલિય પિંડ જેવું પૃથ્વી વચ્ચે આવે છે, જેથી પ્રકાશનો થોડા સમય માટે અવરોધ આવે છે. તેમજ બીજી તરફ હિન્દુ ધર્મમાં સૂર્ય અને ચંદ્ર ગ્રહણને કમશ: રાહુ અને કેતુ દ્વારા તેમનો ગ્રાસ કર્યો માનવામાં આવે છે.
હજારો વર્ષો પહેલાથી હિન્દુ ધર્મમાં ગ્રહણમાં કોઈ કાર્યોને કરવું શુભ નથી માનવામાં આવતુ, તેમજ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, મંત્ર સિદ્ધિ માટે સર્વશ્રેષ્ઠ સમય ગ્રહણને માનવામાં આવે છે. ગ્રહણ કાળમાં કોઈ પણ મંત્રને જેમની સિદ્ધિ કરવી હોય અથવા કોઈ વિશેષ પ્રયોજન હેતુ સિદ્ધિ કરવો હોય, મંત્ર જપી શકાય છે.
ગ્રહણ કાળમાં મંત્ર જાપ કરવા માટે માળાની સંખ્યાની જરૂરીયાત નથી હોતી પરંતુ સમયનું જ મહત્વ હોય છે. એવામાં વર્ષ 2021માં પહેલું સૂર્ય ગ્રહણ વર્ષના મધ્યમાં એટલે 10 જૂન 2021ના રોજ પડશે તો તેમજ વર્ષનું બીજું સૂર્ય ગ્રહણ 4 ડિસેમ્બર 2021એ પડશે. ધાર્મિક અને જ્યોતિષમાં શાસ્ત્રમાં આ દિવસથી જોડાયેલી ઘણી સૂચનાઓ પણ આપવામાં આવી છે.
પહેલું સૂર્ય ગ્રહણ
આ ગ્રહણ 10 જૂન 2021ના રોજ 13:42 વાગ્યાથી શરૂ થઈને 18:41 વાગ્યાં સુધી રહેશે. તેનું દ્રશ્ય ક્ષેત્ર ઉત્તરી અમેરિકાના ઉત્તર ભાગ, યૂરોપ અને એશિયામાં આંશિક તેમજ ઉત્ત કનેડા, ગ્રીનલેન્ડ અને રશિયામાં પૂર્ણ રહેશે. આ સૂર્ય ગ્રહણ ભારતમાં નહી જોવા મળે. આ માટે ભારતમાં આ સૂર્ય ગ્રહણનો ધાર્મિક પ્રભાવ અને સૂતક માન્ય નહી હોય.
10 જૂન 2021ના રોજ પડી રહેલું સૂર્ય ગ્રહણ વલયાકાર સૂર્ય ગ્રહણ હશે. વલયાકાર સૂર્ય ગ્રહણ તે ઘટનાને કહેવાય છે, જ્યારે ચંદ્ર પૃથ્વીની પરિક્રમા કરતા, સામાન્ય સરખામણીમાં તેનાથી દૂર થઈ જાય છે. તે દમિયાન ચંદ્ર સૂર્ય અને પૃથ્વી વચ્ચે હોય છે, પરંતુ આકાર પૃથ્વીથી જોવા પર એટલો નજર નથી આવતો કે તે સંપૂર્ણ રીતે સૂર્યના પ્રકાશને ગોતી શકે. આ સ્થિતિમાં ચંદ્રના બહાર કિનારા પર સૂર્ય ખૂબ ચમકદાર રૂપથી વીટી જેવો લાગે છે. આ ઘટનાને જ વલયાકાર સૂર્ય ગ્રહણ કહેવાય છે.
ગ્રહણ અવધિમાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ
માન્યતા અનુસાર, ગ્રહણ અવધિમાં મનુષ્ય જીવન પર નકારાત્મક ઉર્જાનો પ્રભાવ આવવાની વધું સંભાવના હોય છે. આ જ કારણ છે કે ગ્રહણ દરમિયાન કઈ પણ કરતા પહેલા લોકો ઘણીવાર વિચારે છે. એવું કહેવામાં આવે છે કે આ દરમિયાન સૌથી વધું ડર ગર્ભવતી મહિલાને હોય છે. તેના માટે આ દિવસથી જોડાયેલી ઘણી માન્યતાઓ છે.
પરંતુ તેનો અર્થ એ નથી કે અન્ય લોકો ગ્રહણના પ્રભાવથી બાકાત છે. બધાં લોકો પર તેનો સંપૂર્ણ પ્રભાવ પડે છે. તો તેમજ ગ્રહણ કાળ દરમિયાન કરવામાં આવેલા કેટલાક એવા કામ જણાવવામાં આવ્યાં છે તેને આ સમય કરવાથી શુભ ફળ મળે છે. એટલું જ નહી આ કામ કરવાથી તમામ મનોકામના પણ પૂરી થાય છે.
ગ્રહણ નક્ષત્રો, ગ્રહોની સ્થિતિથી જોડાયેલી એક ખગોળીય ઘટના છે. તેમનું જ્યોતીષ ધાર્મિક તેમજ વૈજ્ઞાનક મહત્વ છે. ગ્રહણ સમય પૃથ્વી પર અને આકાશમંડળમાં એક વિશેષ વાતાવરણનું નિર્માણ થાય છે જે દરેક પ્રાણીને પ્રભાવિત કરે છે. શાસ્ત્રો અનુસાર આવા સમયમાં મંત્ર સિદ્ધિ શીઘ્ર થાય છે. યંત્ર-તંત્રના ક્ષેત્રમાં પણ ગ્રહણનું ખૂબ મહત્વ છે. સાધક લોકો આ અવસરની રાહ જુએ છે. જાણો ગ્રહણ કાળમાં કરવામાં આવતા ઉપાયો વિશે
ગ્રહણ કાળમાં આમ કરો આ મંત્રોને સિદ્ધ
જણાવી દઈએ કે ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ દિવસ એટલે ગ્રહણના દિવસે કોઈપણ મંત્રનો જાપ કરવામાં આવે તો અનેક ગણુ ફળ મળે છે. કહેવામાં આવે છે કે આ અવધિમાં જે પણ મંત્રનો જાપ કરવામાં આવે, તે શીઘ્ર સિદ્ધ થતા જેના પ્રભાવમાં જાપકર્તાને તમામ ઈચ્છિત પરિણામ મળે છે. સૂર્ય ગ્રહણમાં કોઈપણ એક મંત્રનો 100 વાર જાપ કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે.
પરિવારમાં આવશે ખુશીઓ
ઘર પરિવારમાં ચાલી રહેલી તકલીફ તેમજ અન્ય બાધાઓને દૂર કરવા માટે આ મંત્રનો જાપ કરો.
ૐ એં હ્રીં ક્લીં દહ દહ !
કાર્યમાં મળશે સફળતા
માનવામાં આવે છે કે આ મંત્રનો જાપ કરવાથી એક સાથે અનેક કાર્યોમાં સફળતા મળે છે. જે કાર્યમાં સફળતા ન મળી રહી હોય તો મંત્ર સિદ્ધ થયા બાદ સિંદ્ધ મંત્રનું ઉચ્ચારણ કરતા તમારા જ જમણા હાથ પર ત્રણવાર ફૂંક મારો. કાર્ય થઈ જશે.
ૐ કાલી ઘાટે કાલી માઁ, પતિત-પાવની કાલી માઁ, જવા ફૂલે-સ્થુરી જલે !
સઈ જવા ફૂલમાં સીઆ બેડાએ ! દેવીર અનુર્બલે ! એહિ હોત કરિવજા હોઈબે !
તાહી કાલી ધર્મેર ! બલે કાહાર આજ્ઞે રાઠે ! કાલિકાર ચણ્ડીર આસે !
રોગ મુક્તિ માટે કરો આ મંત્રનો જાપ
ગંભરથી ગંભીર રોગથી મુક્તિ મેળવવા માટે આ મંત્રનો વિશેષ માનવામાં આવે છે, એવામાં તેના લાભ માટે આ મંત્ર સિદ્ધ કરો. માનવામાં આવે છે તે તેના માટે રોગી એક ગ્લાસ પાણી સાથે મંત્રને અભિમંત્રિત કરીને 7 દિવસ સુધી રોજ આ પાણી પીઓ. હંમેશા માટે રોગ મુક્ત થઈ જશે.
ૐ માં ભયાત્ સર્વતો રક્ષ, શ્રિયં વર્ધય સર્વદા ! શરીરારોગ્યં મે દેહિ, દેવ-દેવ નમોડસ્તુ તે ! !