માતા સરસ્વીનું વેદોમાં, શાસ્ત્રેમાં એક અલગ જ સ્થાન આપવામાં આવ્યું છે. પરંતુ આજે અમે તમને તે સ્થાન વિશે જણાવી રહ્યાં છે, જ્યાં માતા સરસ્વતી પહેલીવાર પ્રકટ થયાં હતાં. આ સ્થાન દેશમાં જ દેવભૂમિ ઉત્તરાખંડમાં જ હાજર છે. વાસ્તવમાં ચમોલીમાં બદ્રીનાથ મંદિરથી ત્રણ કિલોમીટર આવવા-જવા પર સરસ્વતી નદીની ઉત્પત્તિ દેખાશે. માન્યતા છે કે આ જ સ્થળ પર માતા સરસ્વતી પહેલીવાર પ્રકટ થયાં હતાં. અહી સૌથી આશ્ચર્યની વાત એ છે કે સરસ્વતી નદીની ધારા પણ અહીયા પર એક મુખની આકૃતિના રૂપમાં વહે છે.
આ ઉપરાંત વસંત પંચમી પર જ્ઞાન અને વિદ્યાના માતા સરસ્વતીનો જન્મોત્સવ પણ માનવવામાં આવે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, આજના દિવસે માતા સરસ્વતી પ્રગટ થયાં હતાં. આ દિવસ ચારો તરફનું વાતાવરણ પીળું થઈ જાય છે. ખેતરમાં સરસવના ફૂલ ખીલે છે અને પીળા રંગના વસ્ત્ર પહેરીને જ માતા સરસ્વીની પૂજા કરવામાં આવે છે. સરસ્વતી માતાની કૃપાથી તમામ ભક્તોને વિદ્યા બુદ્ધિ અને શક્તિ પ્રાપ્ત થાય છે. આજે અમે તમને ભારતમાં અને વિદેશમાં સ્થિત માતા સરસ્વતીના પ્રસિદ્ધ મંદિરો વિશે પણ જણાવીશું.

વાસ્તવમાં ઉત્તરાખંડમાં સરસ્વતી નદીની ધારા એક આકાર બનાવે છે. તેમને માતા સરસ્વતીનું મુખ પણ કહેવામાં આવે છે. આવો અદ્દભૂત નજારો તમને ફક્ત ઉત્તરાખંડના માણા ગામમાં ‘ભીમ પુલ’થી જ દેખાશે. નદીની ધારા પર જ્યારે સૂર્યની રોશની પડે છે તો સામે ઈન્દ્ર ધનુષના સાત રંગ નજર આવે છે.
કહેવામાં આવે છે કે આ સાત સુર છે જે દેવી માતા સરસ્વતીની વીણાના તારામાં વસેલા છે. ભીમ પુલથી સરસ્વતી નદીની સપાટીના અંદર વહેતી જોઈ શકાય છે. ત્યારબાદ આ નદી લુપ્ત થઈ જાય છે. મહાભારતમાં પણ સરસ્વતી નદીનું અદ્રશ્ય હોવાનું વર્ણન છે. આજે પણ હરિયાણા અને રાજસ્થાનના ઘણાં સ્થાનો પર સરસ્વતી નદીની સપાટીના અંદર વહેવાની વાત કહેવામાં આવે છે. રાજસ્થાનમાં તો સરસ્વતી નદીને ધરતી પર લાવવા માટે પ્રોજેક્ટ સુધી બનાવવામાં આવ્યો, પરંતુ કદાચ જ ક્યારેક જ કોઈ આ નદીના સાચું રહસ્યને જાણી અને સમજી શક્યું.
માનવામાં આવે છે કે ઉત્તરાખંડના આ દિવ્ય સ્થાનથી પાંડવોએ સ્વર્ગની યાત્રા કરી હતી. એટલું જ નહી, મહર્ષિ વેદ વ્યાસજીએ આ જ સ્થાન પર મહાભારતની રચના કરી હતી. આ જ સ્થળ પર માતા સરસ્વતીનું એક દિવ્ય મંદિર પણ છે. કહેવામાં આવે છે કે ગંગા, યમુના અને સરસ્વતીના વચમાં વિવાદના કારણે દેવી સરસ્વતીને નદીના રૂપમાં અહી પ્રકટ થવું પડ્યું હતું. શ્રીમદ્ ભગવદ પુરાણ અને વિષ્ણુ પુરાણમાં પણ આ કથાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
દેવી સરસ્વતીના આ મંદિર જોવામાં તો નાના છે, પરંતુ તેમનું મહત્વ મોટું છે. કહેવામાં આવે છે કે આ મંદિરમાં દર્શન કરવાથી અને દેવી સરસ્વતીનું મનથી ધ્યાન કરવા પર જીવનમાં શુભ પરિણામ મળવા લાગે છે. અહીયા એટલે સરસ્વતી નદીના ઠીક ઉપર એક મોટી શિલા છે જેમને ભીમ શિલા પણ કહેવામાં આવે છે.
માતા સરસ્વતીના મુખ્ય મંદિર
સરસ્વતી ઉત્પત્તિ મંદિર માણા ગામ, ઉત્તરાખંડ
ઉત્તરાખંડમાં બદરીનાથ ધામથી 3 કિલોમીટરના અંતર પર સરસ્વતી નદીનું ઉત્પત્તિ તટ પર માતા સરસ્વતીનું એક નાનું મંદિર છે. માન્યતા છે કે સૃષ્ટિમાં પહેલીવાર આ જ સ્થાન પર દેવી સરસ્વતી પ્રકટ થયાં હતાં. આ જ સ્થાન પર વ્યાસજીએ માતા સરસ્વતીની પૂજા કરીને મહાભારત અને અન્ય પુરાણોની રચના કરી હતી. અહી સરસ્વતીની જળધારાના ઉપર સૂર્યની રોશનીમાં સતરંગી કિરણો નજર આવે છે જેમના વિશે કહેવામાં આવે છે કે આ સરસ્વતીના વીણાના તાર છે.
પુષ્કર સ્થિત સરસ્વતી મંદિર, રાજસ્થાન
રાજસ્થાનના પુષ્કરમાં વિશ્વનું એકમાત્ર બ્રહ્મા મંદિર છે. બ્રહ્મા મંદિરથી થોડું દૂર પર્વત પર દેવી સરસ્વતીનું મંદિર છે. માન્યતા છે કે બ્રહ્માજીની પત્નીએ ફક્ત પુષ્કરમાં જ પૂજવા જવાનો શ્રાપ આપ્યો હતો.
ષારદામ્બા મંદિર શ્રૃંગેરી, કર્નાટક
આદિગુરૂ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત ચાર મઠોમાં પહેલું મઠ ઋગેરી શારદા પીઠ છે, જેમની સ્થાપના આઠમી સદીમાં થઈ હતીં. આ પીઠ શારદામ્બા મંદિરના નામથી પ્રસિદ્ધ છે. આ મંદિરમાં પહેલા ચંદનના લાકડાથી બનાવેલી દેવી સરસ્વતીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી, જેમને આદિગુરૂ શંકરાચાર્યએ સ્થાપિત કરી હતી. આ મૂર્તિને 14મી સદીમાં બદલવામાં આવી અને તેમની સ્થાન પર સોનાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી.
મૈહરના શારદા મંદિર, મધ્યપ્રદેશ
મધ્યપ્રદેશના સતના જિલ્લા ત્રિકુા ડુંગર પર માતાનું શારદીય રૂપ દેવી શારદાનું મંદિર છે. આ મંદિરને લઈને માન્યતા છે કે આલ્હા અને ઉદલ નામના બે ચિંરજીવી ઘણાં વર્ષોથી રોજ દેવી માતાની પૂજા કરી રહ્યાં છે.
શ્રી જ્ઞાન સરસ્વતી મંદિર, આંધ્રપદેશ
કહેવામાં આવે છે કે મહાભારતના યુદ્ધ વિરામ પછી આ જ સ્થળ વેદવ્યાસએ દેવી સરસ્વતીની તપસ્યા કરી હતી. જેમનાથી ખુશ થઈને માતા સરસ્વતીએ તેમને પ્રકટ થઈને દર્શન આપ્યાં હતાં. દેવીના આદેશ પર તેમણે ત્રણ સ્થળ ત્રણ મુઠ્ઠી રેતી લીધી, ચમત્કાર સ્વરૂપે રેતી સરસ્વતી, લક્ષ્મી અને કાળી પ્રતિમામાં બદલી ગઈ. આજે પણ અહીં ત્રણેય દેવી બિરાજમાન થઈને પોતાના ભક્તોનું કલ્યાણ કરે છે. ભારતના ખુણે-ખુણે અહી લોકો દર્શન કરવા આવે છે. વસંત પંચમીના દિવસે અહી માતાના દર્શનનું વિશેષ મહત્વ છે. કહેવામાં આવે છે તેમના દર્શનથી અજ્ઞાનનો અંધકાર દૂર થઈ જાય છે.