ભારતીય સેનાની યૂનિટ 3 રાજપૂતાના રાઈફરમાં કાર્યરત હવાલદાર દાતારામ જાટ 28 જાન્યુઆરીએ રજા કાપીને ગયાં હતા. બે દિવસ પહેલા જ માતા સિંગારી દેવીથી ફોન પર વાત કરતા કહ્યું હતું કે માતા અહી બધું યોગ્ય છે. ભયવાળી કોઈ વાત નથી. ચિંતા ન કરો જલ્દી ફરી આવીશ, પરંતુ જવાનનો શવ જ ઘર આવ્યો છે. તે જ દિવસે માતાને થોડા રૂપિયા પણ ખાતામાં મોકલ્યાં હતાં.
જયપુર નજીક નિવારૂમાં રહેતા ભરતપુરના પીરાકા ગામના નિવાસી ભારતીય સેનાની યૂનિટ 3 રાજપૂતના રાઈફલમાં કાર્યરત હવાલાત દાતારામ જાટને જમ્મૂ કાશ્મીરના કુપવાડામાં એલઓસી નજીક સેન્ય ગતિવિધિ દરમિયાન પોતાની ફરજ નીભવતા અવસાન થયું હતું તેનું હાર્ટ એકેટથી મોત થયું હતું. નિવારૂ ગામ સ્થિત શિવમ વિહાર ચતુર્થ પ્લોટ નંબર-20માં શહીદ થયેલા દાતારામ છેલ્લા લગભગ આઠ વર્ષથી પત્ની તેમજ બાળકો સાથે રહેતા હતા અને અત્યારે ગત મહિને 28 જાન્યુઆરીના રોજ રજા પૂરી કરીને ફરજ પર ગયા હતાં.
હવાલદાર દાતારામના અવસાનની સૂચના પરિવાર લોકોને તેના સાથી વિરેન્દ્ર સિંહ શેખાવતના માધ્યમથી પરિવાર લોકોને મળી તો ઘરમાં ચકચાર મચી ગઈ અને મૃતકની પત્ની તેમજ બાળકો નિરાધાર થઈ ગયાં. 3 રાજપૂતાના રાઈફરમાં કાર્યરત મૃતકના સાથી વિરેન્દ્ર સિંહ શેખાવત તેમજ ઓમપ્રતાપ સિંહે જણાવ્યું કે શનિવારે શહીદ દાતારામનો મૃતદેહ શ્રીનગરથી વિમાનથી દિલ્હી રવાના કર્યો. જ્યાંથી રોડ માર્ગે શહીદનો મૃતદેહ નિવારૂ શિવમ બિહાર લગભગ નવ વાગ્યે પહોચ્યો. નિવારૂ સ્થિત મોક્ષ ધામ પર સેનાના જવાન દાતારામના સૈન્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરાવામાં આવશે. જવાન દાતારામના નિધનની સૂચના પર ભરતપૂરથી તેનો ભાઈ, પરિવાર લોકો તેમજ સગા વ્હાલા જયપુરના નિવારૂ ગામ પહોચ્યાં.
24 વર્ષની નોકરીમાં 17 વર્ષ જમ્મૂ-કાશ્મીરમાં આપી સેવા
થ્રી રાજપૂતાના રાઈફલમાં કાર્યરત દાતારામના સાથી ઓમપ્રતાપ સિંહ રાજાવતે જણાવ્યું કે શહીદ થયેલા દાતારામે પોતાની નોકરીના 24 વર્ષમાં લગભગ 17 વર્ષ જમ્મૂ-કાશ્મીરમાં સેવાઓ આપી. તેમજ એકવાર વિદેશમાં પણ સૈન્ય સેવા આપવાનો મોકો મળ્યો.
પરિવાર લોકોનું રડવું જોઈ આવ્યાં આંસુ
નિવારૂ શિવન બિહારમાં શહીદ થયેલા દાતારામના નિધન થવાની સૂચના મળ્યાં પછી તેની પત્ની પિંકી દેવી, મોટી દીકારી જ્યોતિ, નાની દીકરી સિમરન તેમજ એકમાત્ર દીકરો શિવા રડી પડ્યાં અને એકવાર તો તેને વિશ્વાસ ન થયો કે અત્યારે 23 દિવસ પહેલા જ ઘરથી ખુશી-ખુશી ફરજ પર ગયાં હતાં અને અચાનક તેના અવસાન થવાની ખબર આવી હતી.
પરિવાર ગામમાં કરતો ખેતી
ભરતપુરના નગર તહસીલના પીરાકા નિવાસી દાતારામના ભાઈ ગુલાબ સિંહએ જણાવ્યું કે તેનો પરિવાર ગામમાં રહે છે, સેનામાં કાર્યરત મોટો ભાઈ દાતારામનો પરિવાર જયપુરમાં રહે છે. મૃતકનો સૌથી મોટો ભાઈ સુબેદાર મોરધ્વજમાં સેનામા સેવા આપી ચૂક્યો છે. તેમજ શ્યામ સિંહ તેમજ ગુલાબ સિંહ ગામમાં રહે છે. પિતા તુલારામનું પહેલું મોત થઈ ચૂક્યું છે, તેમજ મૃતક જવાનની માતા સિંગારી દેવી, બહેનો રામવતી, ઓમવતી,ને પણ પોતાના લાડલાના અવસાન થવાની સૂચના આપવામાં આવી.
સૈન્ય સન્માન સાથે થશે અંતિમ સંસ્કાર
કુપવાડામાં સૈન્ય ગતિવિધિ દરમિયાન શહીય થયેલા દાતારામનું રવિવારે નિવારૂના મોક્ષધામ પર સૈન્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર થશે. સેવાનિવૃત સાથી બિશન સિંહે જણાવ્યું કે દાતારામની અંતિમ યાત્રા શિવમ નિવાસથી રવાના થઈને બાઈપાસ નિવારૂ રોડ થઈને, બસ સ્ટેન્ડ થઈને મોક્ષધામ પહોચશે, ત્યાં ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાઈ આપવામાં આવશે. મૃતક હવાલદાર ચાર ભાઈઓમાં ત્રીજા નંબરના હતાં. મોટો ભાઈ પણ સૈનિક હતો.
I agree with your point of view, your article has given me a lot of help and benefited me a lot. Thanks. Hope you continue to write such excellent articles.