આજથી અધિક માસનો પ્રારંભ થઈ ગયો છે. અસલમાં દર ત્રણ વર્ષમાં એકવાર અતિરિક્ત માસ હોય છે. જેને અધિકમાસ, મલમાસ અથવા પુરૂષોત્તમ માસના નામથી ઓખવામાં આવે છે. કાશીના જ્યોતિષાચાર્ય પંડિત ગણશે મિશ્ર અનુસાર, 18 સપ્ટેમ્બરથી 16 ઓક્ટોબર સુધી પુરૂષોત્તમ માસ રહેશે. ભારતીય હિન્દુ કેલેન્ડર સૂર્ય માસ અને ચંદ્ર માસની ગણના અનુસાર ચાલે છે. અધિકમાસ ચંદ્ર વર્ષના એક અતિરિક્ત ભાગ છે, જે દર 32 માસ, 16 દિવસ અને 10 કલાકના અંતરથી આવે છે.
આ સૂર્ય અને ચંદ્ર વર્ષના વચ્ચે અંતરના સંતુલન માટે હોય છે. ભારતીય ગણના પદ્ધતિ મુજબ, દરેક સૂર્ય વર્ષ 365 દિવસ અને નજીક 6 કલાકનો હોય છે., તેમજ ચંદ્ર વર્ષ 354 દિવસોનો માનવામાં આવે છે. બંને વર્ષોના વચ્ચે લગભગ 11 દિવસોનું અંતર હોય છે, જે દર 3 વર્ષમાં અંદાજે 1 માલના બરાબર થઈ જાય છે. આ અંતર હટાવવા માટે દર ત્રણ વર્ષમાં એક ચંદ્ર માસ આવે છે, જેને અતિરિક્ત હોવાના કારણે અધિકમાસનું નામ આપવામાં આવ્યું છે.
કુંડળી દોષોનું પણ થાય છે નિરાકરણ
અધિકમાસમાં સમસ્ત ધાર્મિક કૃત્યો, ચિંતન મનન, ધ્યાન, યોગ વગેરેના માધ્યમથી સાધક પોતાના શરીરમાં સમાયેલ પાંચો તત્વોમાં સંતુલન સ્થાપિત કરવાનો પ્રયત્ન કરે છે. એવી માન્યતા છે કે આ દરમિયાન કરેલી કોશિશમાં સમગ્ર કુંડળી દોષોનું પણ નિરાકરણ થઈ જાય છે.
વિષ્ણુ મંત્રોના જાપ લાભકારી
પુરાણોના અનુસાર, આ માસ દરમિયાન યજ્ઞ-હવનના ઉપરાંત શ્રીમદ્ દેવી ભાગવત, શ્રી ભાગવત પુરાણ, શ્રી વિષ્ણુ પુરાણ, ભવિષ્યોત્ત પુરાણ વગેરેનું શ્રવણ,પઠન, મનન વિષેશ રૂપથી ફળદાયી હોય છે. અધિકમાસને અધિષ્ઠાતા ભગવાન વિષ્ણું છે, એટલા માટે આ સંપૂર્ણ સમયમાં વિષ્ણુ મંત્રોનો જાપ વિષેશ લાભદાયી હોય છે. એવું માનવામાં આવે છે કે અધિક માસમાં વિષ્ણું મંત્રોનો જાપ કરનારા સાધકોને ભગવાન વિષ્ણુ શીઘ્ર આશીર્વાદ આપે છે.
અધિપતિ કેમ બન્યાં શ્રીવિષ્ણુ?
પૌરાણિક કથાના અનુસાર, ભારતીય મનુષ્યોએ પોતાની ગણના પદ્ધતિથી દર માસ માટે દેવતા નિર્ધારિત કર્યાં. ત્યારથી અધિકમાસ સૂર્ય અને ચંદ્ર માસના વચ્ચે સંતુલનના બનાવવા માટે પ્રકટ થયાં, તો આ અતિરિક્ત માસના અધિપતિ બનવા માટે કોઈ દેવતા તૈયાર ન થયાં. આવામાં ઋષિ-મુનિયોએ ભગવાન વિષ્ણુથી આગ્રહ કર્યો કે તે જ આ માસનો ભાર પોતાના ઉપર લે. ભગવાન વિષ્ણુએ આ આગ્રહનો સ્વીકાર કરી લીધો અને આ રીતે આ પુરૂષોત્તમ માસ પણ બની ગયો. જે કાર્ય નિયમિત રૂપથી થઈ રહ્યું હોય તેમને કરવામાં કોઈ બંધન અથવા દબાવ નથી.
બધા માંગલિક કર્મ હોય છે વર્જિત
એવી માન્યતા છે કે અતિરિક્ત થવાના કારણે આ માસ મલિન હોય છે. એટલા માટે આ માસના દરમિયાન હિન્દુ ધર્મના વિશિષ્ટ વ્યક્તિગત સંસ્કાર જેવા નામકરણ, યજ્ઞોપવીત, લગ્ન અને સામાન્ય ધાર્મિક સંસ્કાર જેવા ગૃહ પ્રવેશ નહી થઈ શકતો. જોકે જે કામ નિયમિત રૂપથી થઈ રહ્યા હોય તેમને કરવામાં કોઈ દબાણ નથી. નવી વસ્તુંની ખરીદી આ મહિનામાં કરવી શુભ માનવામાં આવે છે. સીમાન્ત, જાતકર્મ અને અન્નપ્રાશન સંસ્કરાક કરી શકાય છે. ગયામાં શ્રાદ્ધ પણ આ દરમિયાન કરી શકાય છે. તેમની પણ વર્જના નહી.