સનાતન ધર્મમાં વ્રત, હવન, યજ્ઞ સહિત ઘણાં ધાર્મિક કર્મોને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવ્યું છે. આમાંથી જ એક હોય છે એકાદશીનું વ્રત (હિન્દુ પંચાંગની અગિયારમી તિથિને એકાદશી કહેવાય છે) આ તિથિ મહિનામાં બેવાર આવે છે. પૂનમ પછી અને અમાસ પછી. પૂનમ પછી આવી રહેલી એકાદશીને કૃષ્ણ પક્ષની એકાદશી અને અમાસ પછી આવી રહેલી એકાદશી શુક્લ પક્ષની એકાદશી કહેવાય છે. હિન્દુ ધર્મમાં એકાદશી અથવા અગિયારસ એક મહત્વપૂર્ણ તિથિ છે. એકાદશી વ્રતની મોટી મહિમા છે. એક જ દશામાં રહીને તમારા આરાધ્ય દેવનું પૂજન તેમજ વંદન કરીને પ્રેરણા આપનારૂ વ્રત એકાદશી વ્રત કહેવાય છે. પદ્મ પુરાણ અનુસાર, સ્વયં મહાદેવે નારદનીને ઉપદેશ આપતા કહ્યું હતું, એકાદશી મહાન પૂણ્ય આપનારૂ હો છે.
તેમજ પુરાણના અનુસાર, એકાદશીને ”હરી દિવસ અને હરી વાસ”ના નામથી પણ ઓળખવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે એકાદશી વ્રત હવન, યજ્ઞ, વૈદિક કર્મ-કાંડ વગેરેથી વધું ફળ આપે છે. આ વ્રતને રાખવાની એક માન્યતા એ પણ છે કે આથી પૂર્વજો અથવા પિતરોને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. તેમજ સનાતન ધર્મમાં જયા એકાદશના દિવસે ભગવાન વિષ્ણુની આરાધના કરવામાં આવે છે. આ વર્ષે એટલે 2021માં આ 23 ફેબ્રુઆરીના રોજ મંગળવારે આવી રહી છે.
એકાદશી વ્રતનો નિયમ
એકાદશી વ્રત કરવાનો નિયમ ખૂબ જ કડક હોય છે, જેમાં વ્રત કરનારાને એકાદશી તિથિ પહેલા સૂર્યાસ્તથી લઈને એકાદશીના એકાદશીની આગળ સૂર્યોદય સુધી ઉપવાસ રાખવો પડે છે. આ વ્રત કોઈપણ આયુષ્યની વ્યક્તિ સ્વેચ્છાએ રાખી શકે છે. એકાદશી વ્રત કરવાની ઈચ્છા રાખતા લોકોને દશમી (એકાદશીથી એક દિવસ પહેલા)ના દિવસથી થોડા જરૂરી નિયમોને માનવા પડે છે. દશમીના દિવસથી જ શ્રદ્ધાળુઓને માસ, માછલી, ડુંગળી, દાળ( મસૂરની) અને મધ જેવા ખાદ્ય પદાર્થોનું સેવન ન કરવું જોઈએ. રાતના સમય ભોગ-વિલાસથી દૂર રહેવું, પૂર્ણ રૂપથી બહ્મચર્ચનું પાલનું કરવું જોઈએ.
એકાદશના દિવસ સવારે દાંત સાફ કરવા માટે લાકડાની દાતનનો ઉપયોગ ન કરો. તેમની જગ્યાએ તમે લીબું, પછી આંબાના પાનને લઈને ચાવી લો અને તમારા આંગળીથી ગળું સાફ કરી લો. આ દિવસ વૃક્ષથી પાન તોડવું પણ વર્જિત હોય છે એટલા માટે સ્વયં નીચે પડેલા પાનનો ઉપયોગ કરો અને જો તમે પાનની વ્યવસ્થા નથી કરી શકતા તો તમે સાદા પાણીથી કોગળા કરો. સ્નાન વગેરે કર્યા પછી તમે મંદિરમાં જઈને ગીતાનો પાઠ કરો. સાચા મનથી ૐ નમો ભગવતે વાસુદેવાય મંત્ર જાપ કરો. ભગવાન વિષ્ણુનું સ્મરણ અને તેમની પ્રાર્થના કરો. આ દિવસ દાન-ધર્મનું પણ ખૂબ માન્યતા છે એટલા માટે તમારી યથાશક્તિ દાન કરો.
એકાદશીના આગલા દિવસને દ્વાદશીના નામથી ઓળખવામાં આવે છે. દ્વાદશી, દશમી અને બાકી દિવસોની જેમ સામાન્ય દિવસ હોય છે. આ દિવસ સવારે વહેલા સ્નાન કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે અને સામાન્ય ભોજન આરોગીને વ્રતને પૂરૂ કરવામાં આવે છે. આ દિવસ બ્રાહ્મણોને મિષ્ઠાન્ન અને દક્ષિણા વગેરે આપવાનો રિવાજ છે. ધ્યાન રાખો કે શ્રદ્ધાળુ ત્રયોદશી આવતા પહેલાથી જ વ્રતનું પારણ કરી લો. આ દિવસ પ્રયત્ન કરવો જોઈએ કે એકાદશી વ્રતનું નિયમ પાલન અને તેમાં કોઈ ચૂકાય નહીં.
એકાદશી પર શું ન કરો…
સ્કંદ પુરાણમાં પણ એકાદશી વ્રતના મહત્વ વિશે જણાવવામાં આવે છે. જે પણ વ્યક્તિ એકાદશીનું વ્રત રાખે છે તેમના માટે આ દિવસ ઘઉં, મસાલા અને શાકભાજીનું સેવન મનાય કરવામાં આવે છે. ભક્ત એકાદશી વ્રતની તૈયારી એક દિવસ પહેલા એટલે કે દશમીથી જ શરૂ કરી દે છે. દશમીના દિવસ શ્રદ્ધાળુ વહેલી સવારે ઉઠીને સ્નાન કરે છે અને આ દિવસ તે મીઠા વગરનું ભોજન ગ્રહણ કરે છે.
વૃક્ષથી પાન ન તોડો
-ઘરમાં વાસીદુ ન વાળો. આમ એટલા માટે કરવામાં આવે છે કારણ કે ઘરમાં વાસીદુ વાળવાથી કીડી-મકડા જેવી નાના જીવ મરવાની ડર હોય છે અને આ દિવસ જીવની હત્યા કરવી પાપ હોય છે.
-વાળ ન કપાવો
-જરૂરી ત્યાં જ બોલો. ઓછામાં ઓછું બોલવાની કોશિશ કરો.
-એકાદશીના દિવસ ચોખાનું સેવન પણ વર્જિત હોય છે.
-કોઈને આપેલું અન્ન વગેરે ન ખાઓ.
-મનમાં કોઈ પ્રકારનો વિકાર ન આવવા દો.
-જો કોઈ ફલાહારી છે, તો કોબી, પાલક, વગેરેનું સેવન ન કરો. તે કેળુ, દાડમ, બાદામ, કેરી વગેરેનું સેવન કરી શકે છે.
જાણકારો અનુસાર શ્રદ્ધાળુ એકાદશીના દિવસ તાજા ફળ, ખાંડ, નારિયળ, દૂધ, આદુ, કાળા મરી, સેંધા નમક, બટાકા, સાબૂદાના અને રતાળુનો પ્રયોગ કરી શકે છે. એકાદશી વ્રતનું ભોજન સાત્વિક હોવું જોઈએ.
તેમાં જયા એકાદશીનું ખૂબ જ પુણ્યફળદાયીની જણાવવામાં આવ્યું છે. આ દિવસ વ્રત રાખવા સાથે દાન-પુર્ણના કરવાનું પણ વિશેષ મહત્વ માનવામાં આવે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર જયા એકાદશીનું મહત્મય સ્વયં ભગવાન કૃષ્ણએ પોતાના શ્રી મુખેથી કહ્યું છે.
જયા એકાદશી 2021: શુભ મુહૂર્ત
માઘ, શુક્લ એકાદશી
પ્રારંભ-05: 16 PM ફેબ્રુઆરી 22
સમાપ્ત- 06 : 05 PM, ફેબ્રઆરી 23
જયા એકાદશી પારણા મુહૂર્ત : 06 : 51 : 55થી 09 : 09 :00 સુધી 24, ફેબ્રુઆરીએ
અવધિ : 2 કલાક 17 મીનિટ
જયા એકાદશીના દિવસ પૂજનમાં ભગવાન વિષ્ણુને પુષ્પ, જળ, ચોખા, રોલી તથા વિશિષ્ટ સુગંધિત પદાર્થો અર્પણ કરવા જોઈએ. જયા એકાદશીનું આ વ્રત ખૂબ જ પુણ્યદાયી હોય છે. માન્યતા છે કે આ દિવસ શ્રદ્ધાપૂર્વક વ્રત કરનારા વ્યક્તિને ભૂત-પ્રેત જેવી ભય નથી રહેતા સાથે જ તેમને દરેક કષ્ટથી મુક્તિ પણ મળે છે.
જયા એકાદશીનું મહત્વ
હિન્દુ ધર્મમાં તેમનું મહત્વ ખૂબ અધિક જણાવવામાં આવ્યું છે. આ ઉલ્લેખ ભાવ્યોત્તાર પુરાણ અને પદ્મ પુરાણમાં ભગવાન કૃષ્ણ અને રાજા યુધિષ્ઠિરના વચ્ચે વાતચીત રૂપમાં હાજર છે. આ દિવસ દાન-પુણ્યનું પણ અધિક મહત્વ હોય છે. આ દિવસ જે વ્યક્તિ દાન કરે છે તે ઘણાં ગુણ મેળવે છે. પૌરાણિક માન્યતાઓના અનુસાર, એકવાર ધર્મરાજ યુધિષ્ઠિરને ભગવાન શ્રી કૃષ્ણથી પૂછતા હતાં કે માઘ શુક્લ એકાદશીએ કોની પૂજા કરવી જોઈએ અને તેમનું શું મહાત્મય છે. તેમના પર શ્રી કૃષ્ણએ ઉત્તર આપ્યો કે તેમને જયા એકાદશી કહેવાય છે. આ અતિ પુણ્યદાયી હોય છે. આ દિવસ વ્રત કરવાથી વ્યક્તિને ભૂત-પ્રેત જેવા ભય નથી રહેતો.
જયા એકાદશી વ્રત તેમજ પૂજન વિધિ
-એકાદશી તિથિને બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરીને નિવૃત થઈને ભગવાન વિષ્ણુનું ધ્યાન કરો, વ્રતનો સંકલ્પ કરો.
-એક પાજઠ પર લાલ કપડું પાથરી તેમના પર ભગવાન વિષ્ણુની પ્રતિમા અથવા તસવીરને સ્થાપિત કરો.
-તલ, રોલી મિશ્રિત જળ અને ચોખાથી છંટકાવ આપીને ઘટસ્થાપના કરો.
-ભગવાન વિષ્ણુના સામે ઘીનો દીવો પ્રગટાવી ધૂપ-દીપ અને પુષ્પથી પૂજા કરો.
-પૂજા કર્યા પછી આરતી ઉતારો અને વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો.
-ભગવાનને તલ અર્પણ કરીને સાથે તલનું દાન કરો.
-પરનિંદાથી બચો અને ભગવાન વિષ્ણુજીનું ધ્યાનમાં પૂરો સમય વિતાવો.
પારણા વિધિ
-એકાદશીના વ્રતનું પારણ દ્વાદશી તિથિ એટલે એકાદશીના આગામી દિવસ શુભ મુહૂર્તમાં કરો.
-સવારે વહેલા ઉઠીને સ્નાન કર્યા પછી પૂજન કરો અને ભોજન બનાઓ.
-કોઈ જરૂરીયાતમંદ અથવા બ્રાહ્મણને ભોજન કરાવીને દાન-દક્ષિણા આપ્યા પછી સન્માનપૂર્વક વિદા કરો.
-પારણ મુહૂર્તમાં સ્વયં પણ ભોજન ગ્રહણ કરો.