આમ તો ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ભોળાનાથના ભક્તોને વધું કઈ કરવાની જરૂર નથી. ભોળનાથ તો ફક્ત જળથી જ પ્રકટ થઈ જાય છે, પરંતુ દર માસની આવી રહેલા શિવરાત્રી અને વર્ષભરમાં એકવાર આવી રહેલી મહાશિવરાત્રી પર ભગવાન શિવને પ્રસન્ન કરવા અને મનગમતું ફળ મેળવવા માટે તમારે આ ઉપાયો કરવા જોઈએ. આમ તો મહાશિવરાત્રી વર્ષભરમાં એકવાર પડે છે. જેમાં ભક્તોને ભોળાનાથની કૃપા પ્રાપ્ત કરવાના અવસર મળે છે. પરંતુ ઓછો લોકો જ જાણે છે કે આ ઉપરાંત હિન્દૂ શાસ્ત્રો અનુસાર, શિવરાત્રી દર મહિને પણ પડે છે. દર માસમાં પડનારી શિવરાત્રી પણ નીલકંઠની કૃપા મેળવવાનું ઉત્તમ સાધન છે.
માસિક શિવરાત્રી દર મહિનામાં કૃષ્ણ પક્ષની ચતુર્દશીએ મનાવવામાં આવે છે. દર મહિનામાં કૃષ્ણ પક્ષ અને આ પક્ષની ચતુદર્શી તિથિ આવે છે. આ સંયોગને માસિક સંયોગ કહેવામાં આવે છે. આ માસિક શિવરાત્રી પર વિધિ-વિધાનથી ભસ્મ રમૈયાનું પૂજન અર્ચન કરવું થોડા પ્રયાસમાં પણ વધું ફળ આપનારૂ હોય છે. માનવામાં આવે છે કે માસિક શિવરાત્રીને શ્રદ્ધા સાથે, ધ્યાનમાં મગ્ન થઈને વ્રત રાખવાથી સાધકની તમામ મનોકામના પૂર્ણ થાય છે અને તે શિવની મહાકૃપાના પાત્ર બને છે.
ભગવાન શિવના આશીર્વાદ મેળવવા અત્યંત આસાન છે. ભગવાન શંકરને પ્રકટ કરવા આમ તો ખૂબ સરળ છે, કારણ કે તે તો ફક્ટ ભક્તના પ્રભુમાં અનુરાગ અને નિષ્ઠાવાન મન આપે છે. કહેવામાં આવ્યું છે કે મન ચોખુ તો પવિત્ર ગંગા, પરંતુ છતાં ધર્મગ્રંથો અને મનીષિઓના દ્વારા માસિક શિવરાત્રી પર ભગવાન ભોળાનાથીની પૂજાનું સ્થિર વિધાન જણાવવામાં આવ્યું છે. આ દિવસ શિવ પરિવારનું પૂજન કરવામાં આવે છે. વહેલી સવારે ઉઠીને સ્નાન કરીને સ્વચ્છ કપડા પહેરી લો. પ્રથમ પૂજ્ય ભગવાન ગજાનન, સંહારકર્તા ભગવાન શિવ, આદિશક્તિ માતા પાર્વતી, દેવતાઓના સેનાપતિ ભગવાન કાર્તિકેય અને ભગવાન શિવનું પ્રિય વાહન નંદીની પ્રતિમાઓ સ્થાપિત કરો. શિવ પરિવારને પંચામૃત સ્નાન કરાઓ. પૂજામાં બીલિપત્ર, ફૂલ, ધૂપ, દીવો, ફળ, નૈવેદ્ય અને અત્તર અવશ્ય સામેલ કરો. શિવ પરિવારની કૃપા મેળવવા માટે પ્રથમ પૂજ્ય ગણપિત મહારાજનું સૌથી પહેલા પૂજન કરો. અંતમાં શિવ ચાલીસા, શિવ પુરાણ અથવા શિવાષ્ટકનો પાઠ કરવાનું ન ભૂલો. પૂજા સમાપન ભગવાન શિવની આરતીથી કરો.
માસિક શિવરાત્રી પર શાસ્ત્રોક્ત વિધિથી શિવ પૂજન કરવું અને વ્રત રાખવાથી માત્ર ભગવાન શિવ જ નહી, પૂરા શિવ પરિવારના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. માન્યતા છે કે વ્રત અનુષ્ઠાન પૂરૂ કરવા પર સાધકની તમામ મનોકામના પૂરી થાય છે. વિશેષ રૂપથી જે કન્યાઓ મનગમતો વર પ્રાપ્ત કરવા માંગે છે અથવા જેમના લગ્નમાં કોઈપણ અડચણ આવી રહી છે તે સ્વયંભૂ જ દૂર થઈ જાય છે. સાચા મનથી સ્મરણ કરવા માત્રથી ભક્તો પાસે દોડીને આવનારૂ ભોળાનાથને પ્રકટ કરવાનું સરળ સાધન છે શિવ ચાલીસા. એવામાં ભોળાનાથને પ્રસન્ન કરવા માટે શિવ ચાલીસાનો પાઠ અવશ્ય કરવું શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે.