કોરોનાની રસીનો આજથી બીજો તબક્કો શરૂ થયો છે. ત્યારે આજથી સામાન્ય લોકોને પણ કોરોનાની રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. પરંતુ સૌથી પહેલા પ્રધાનમંત્રી મોદીએ વેક્સીનનો ડોઝ લીધો હતો. પ્રધાનમંત્રીને વહેલી સવારે દિલ્લી એઈમ્સમાં 6.30 કલાકે કોરોના વેક્સીનનો પહેલો ડોઝ આપવામાં આવ્યો હતો. આ વેક્સીન ભારય બાયોટેક દ્વારા બનાવવામાં આવેલી કોવેક્સિન છે.
પ્રધાનમંત્રી મોદીને જ્યારે વેક્સીનનો પહેલો ડોઝ આપવામાં આવ્યો ત્યારે તેની કેટલીક તસવીરો પણ લેવામાં આવી હતી. અને આ તસવીરોને પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયામાં શેર કરી છે. પ્રધાનમંત્રી મોદીની આ તસવીરો અને કોરોના વેક્સીનનો ડોઝ લેવાથી એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે, કોવેક્સિન સંપૂર્ણ પણે સુરક્ષિત છે.
Took my first dose of the COVID-19 vaccine at AIIMS.
Remarkable how our doctors and scientists have worked in quick time to strengthen the global fight against COVID-19.
I appeal to all those who are eligible to take the vaccine. Together, let us make India COVID-19 free! pic.twitter.com/5z5cvAoMrv
— Narendra Modi (@narendramodi) March 1, 2021
લોકોની શંકાઓ થઈ દૂર
ઉલ્લેખનીય છે કે, જ્યારે કોવેક્સીનના પ્રથમ તબક્કામાં ફ્રન્ટ લાઈન વોરિયર્સને વેક્સીન આપવામાં આવી રહી હતી ત્યારે અનેક રાજકીય નેતાઓએ તેની ભૂમિકા પર સવાલો ઉઠાવ્યા હતા. કારણ કે, ઈમરજન્સીમાં વેક્સીન આપવાને મંજૂરી મળતા જ અફવાઓનો દૌર શરૂ થયો હતો કે, હજુ વેક્સીન સંપૂર્ણ પણે ટ્રાયલમાં સફળ નથી થઈ. પરંતુ આજે દેશના પ્રધાનમંત્રીએ કોવિસિલ્ડનો પ્રથણ ડ઼ોઝ લેતા જ લોકોની આશંકાઓનો અંત આવી ગયો છે.
ભ્રમ ફેલાવનારાઓની બોલતી બંધ
અત્યાર સુધી અનેક રાજકીય નેતાઓ વેક્સીનને લઈને સ્ટંટ કરતા અને લોકોને ડરાવતા જોવા મળ્યા. વેક્સીન ટ્રાયલમાં છે. લોકોના જીવ સાથે રમત થઈ રહી છે. વેક્સિનની આડ અસર થઈ રહી છે. આવા અનેક જુઠ્ઠાણાઓ ફેલાવાના શરૂ થયા હતા. પરંતુ આજે પ્રધાનમંત્રી મોદીએ આવા જૂઠ્ઠાણાઓ ફેલાવનારાઓની બોલતી બંધ કરી દીધી છે.
વેક્સીન લીધા બાદ PM મોદીનું ટ્વીટ
કોરોનાની વેક્સીન લીધા બાદ પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ દ્વારા પોતાના કેટલાક ફોટો શેર કર્યા હતા. સાથે જ લખ્યું હતું કે, કોરોના સામેની લડાઈને મજબૂત કરવા માટે આપણામ ડોક્ટર્સ અને વૈજ્ઞાનિકોએ ખુબ ઝડપથી કામ કર્યું છે. લોકોના જીવ બચાવવા માટે પોતાના જીવના જોખમે સફળતા હાંસિલ કરી છે. ત્યારે હું દરેક લોકોને અપીલ કરું છું કે, તેઓ કોરોનાની રસી લે. અને આપણે દરેક સાથે મળીને દેશને કોરોના મુક્ત બનાવીઓ.
બીજા તબક્કામાં આટલા લોકોને મળશે રસી
* 60 વર્ષથી વધુ ઉંમરના વડીલોને વેક્સીન અપાશે.
* 45 વર્ષથી વધુની વયના ગંભીર બીમારી ધરાવતા લોકો વેક્સીન અપાશે.
* જે લોકો ગંભીર બિમારીથી પીડાય છે તેમણે ડોક્ટરનું પ્રમાણપત્ર લાવવુ જરૂરી રહેશે.
27 કરોડ લોકોને અપાશે રસી
કેન્દ્ર સરકારના ઈમ્યુનાઈઝેશન અભિયાન હેઠળ દેશમાં 27 કરોડ લોકોને રસી આપવામાં આવશે. આ માટે દેશભરમાં 11 હજારથી પણ વધુ સરકારી અને પ્રાથમીક આરોગ્ય કેન્દ્રો પર રોકેટ ગતીએ કામ આગળ વધારવામાં આવશે. એટલું જ નહીં આ અભિયાનમાં ખુબ મોટી ખાનગી હોસ્પિટલો પણ જોડાશે.