ભાગ્યના કારક ગ્રહ શુક્ર એકવાર ફરી પોતાનું સ્થાન પરિવર્તન કરતા 21 ફેબ્રુઆરી 2021ના રોજ રવિવારની સવારે 02:12 વાગ્યે મકર રાશિથી નીકળીને, તેમના મિત્ર શનિના સ્વામિત્વ વાળી કુંભ રાશિમાં ગોચર કરશે. એવામાં કુંભ રાશિમાં ગોચરની આ અવધિ દરમિયાન, શુક્રના રાશિ પરિવર્તનનો પ્રભાવ કુંભના ઉપરાંત તમામ અન્ય રાશિઓ પર જોવા મળશે.
જ્યોતિષ શાસ્ત્રમાં શુક્ર દેવને દ્વિતીય એટલે વૃષભ અને સાતમી એટલે તુલા રાશિના સ્વામિત્વ પ્રાપ્ત છે. કન્યામાં શુક્ર નીચા માનવામાં આવે છે, જ્યારે મીન રાશિ તેમની ઉચ્ચ રાશિ છે. કુંભ રાશિ માટે શુક્ર-ગ્રહ અતિ યોગકારક હોય છે. આ કારણ કુંભ રાશિવાળા માટે આ ગોચર સુખદ સમાચાર લઈને આવે છે. જાણો 12 રાશિઓ પર તેમનો પ્રભાવ
મેષ રાશિ
ગોચરની આ અવધિમાં તે તમારા એકાદશ ભાવ એટલે આવક ભાવમાં પ્રવેશ કરશે. શુક્ર દેવનો આ ગોચરના પ્રભાવથી, મેષ રાશિના જાતકોના જીવનમાં સમૃદ્ધિ આવશે, કારણ કે આ દમિયાન ઘણાં શુભ અવસર પ્રાપ્ત થવાની સંભાવના છે.
આ સમય શુક્ર તમારી રાશિમાં ખૂબ મજબૂત ”ધન યોગ”નું નિર્માણ પણ કરશે, આથી ભાગીદારીમાં વ્યવસાય કરી રહેલા જાતકોને, ભરપૂર ધન લાભ થવાનો યોગ બનશે. તે જાતક જે કોઈ પણ કલા, રચનાત્મક, ફેશન વગેરેથી જોડાયેલા છે, તેમને શુક્રના આ ગોચર દરમિયાન ઉત્તમ પરિણામ પ્રાપ્ત થવાની સંભાવના રહેશે. પારિવારિક વાતાવરણ સારૂ રહેશે અને તમને તમારા પરિવારની ભરપૂર મદદ તેમજ પ્રેમ મળશે. તેમજ જો તમે પરણિત છે, તો તમારા દાંપત્ય જીવનમાં નવી ઉર્જાનો સંચાર થશે.
ઉપાય : તમને વિશેષ લાભ મેળવવા માટે, શુક્રવારનું વ્રત કરો.
વૃષભ રાશિ
શુક્રદેવ તમારી રાશિના સ્વામી છે, અને તે ગોચરના સમય, તે તમારા દશમ સ્થાન એટલે કર્મ ભાવને સક્રિય કરશે. એવામાં આ સમય તમને તમારા કાર્યક્ષેત્ર પર વિશેષ ધ્યાન આપવું પડશે, કારણ કે આ દરમિયાન તમને મિશ્રિત પરિણામ મળશે. કાર્યક્ષેત્ર પર તમને તમારી મહેનત અને પ્રયત્નોને ગતિ આપવાની જરૂરીયાત હશે, કારણ કે તમારી વિચારધારા અને કાર્ય ક્ષમતામાં, રચનાત્મકતાની ઉણપ જોવા મળશે અને તમે ખૂદને તમારા કાર્યોથી જોડાયેલા અનુભવમાં અસમર્થ રહેશો. આશંકા છે કે આ તમામ નકારાત્મકતાના કારણ, તમારી કાર્ય ક્ષમતા પણ પ્રભાવિત થાય. આથી તમારામાં આળસ અને અસ્થિરતાનો વધારો થશે.
આ અવધિમાં કોઈપણ પ્રકારના પૈસા ઉધારી આપવાથી બચો. પ્રેમ સંબંધોમાં તમારી સાથી અથવા પ્રેમીની અપેક્ષામાં વધારો થશે. એટલા માટે તેની સાથે સારો સમય વિતાવવાની કોશિશ કરો. આ સમય શારીરિક વ્યાયામ, યોગ અને ધ્યાની મદદ લેવી તમારા માટે સૌથી શ્રેષ્ઠ વિકલ્પ રહેશે. નહીંતર શુક્રની આ સ્થિતિ તમને મોટાપા, ડાયાબિટીસ વગેરે જેવી ગંભીર બીમારીઓ આપી શકે છે.
ઉપાય: શુક્રદેવની અનુકૂળતા પ્રાપ્ત કરવા માટે, રોજ સવારે શિવલિંગ પર ગુલાબ જળનો છંટકાવ કરો.
મિથુન રાશિ
શુક્રના તમારી રાશિના સ્વામી બુધ ગ્રહ પરમ મિત્ર છે. આ ગોચરની આ અવધિમાં તે તમને નવમાં ભાવ એટલે ભાગ્ય ભાવમાં પ્રવેશ કરશે. જેમના પગલે શુક્રનો ગોચરની આ અવધિમાં તમને ભાગ્યનો પૂરો સાથ મળશે, આથી તમને તમારા પ્રયત્નોના પગલે અધિકારીઓથી મદદ અને પ્રોત્સાહન મળશે. આ સમય કાર્યક્ષેત્ર પર કોઈ મહિલા કર્મીનો સહયોગ, તમારા કાર્યમાં સફળતા આપવામાં મદદ કરશે. તેમજ તે લોકો જે લાંબા સમયથી પ્રમોશનની ઈચ્છા હતી. તેમને પણ આ ગોચર દરમિયાન શુભ સમાચાર પ્રાપ્ત થવાનો યોગ બનશે. આ ઉપરાંત તમારી પહેલી નોકરીની શોધ કરી રહ્યાં લોકોને, આ સમય ઈચ્છાનુસાર શુભ અવસર મળશે.
વેપારી વર્ગ માટે આ સમય વિશેષ રૂપથી વિદેશથી સંબંધિત વ્યાપાર કરવા માટે કઈક સારો લાભ લઈને આવશે. તેમજ તે વિદ્યાર્થી જે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્તિ માટે વિદેશ જવાના ઈચ્છુક હતાં, તેમને પણ આ ગોચરથી અનુકૂળ ફળોની પ્રાપ્તિ થશે. પરણિત લોકોને તેમની જીવનસાથીથી ભરપૂર મદદ અને પ્રેમ મળશે. જો તમે કુંવારો છો, તો તમે તમારા જીવનમાં કોઈ પ્રેમીની ઉપસ્થિતિની આશા કરી શકો છો. આ વ્યક્તિ તમારો જૂનો પ્રેમી પણ હોય શકે છે, જેણે તમારા પ્રેમને ક્યારેય નકાર્યો નથી. આવું એટલા માટે થશે, કારણ કે આ સમય તમે તમારી ભાવનાઓ અને પ્રેમને તમારી પ્રેમી સામે યોગ્ય રીતે વ્યક્ત કરવામાં સક્ષમ થશો.
ઉપાય: શુક્રદેવની પ્રાપ્તિ માટે, દરરોજ દેવી કાત્યાયનીની ઉપાસના કરો.
કર્ક રાશિ
તમારી રાશિ માટે શુક્ર દેવ આ ગોચરની અવધિમાં તમારા અષ્ટમ ભાવ એટલે આયુષ્ય ભાવમાં પ્રવેશ કરશે. શુક્ર આ સમય તમારા બીજા ભાવને પણ નજર કરશે, જે પરિવાર અને ધનનો લાભ થાય છે. એવામાં તમને અચાનકથી ધન લાભની પ્રાપ્તિ થશે, આથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત જોવા મળશે. તેમજ આ દરમિયાન તમારી સુખ-સુવિધાઓ પર પણ તમે ખૂબ પૈસા ખર્ચ કરશો.
જોકે તેની અસર તમારી આર્થિક સ્થિતિ પર નહી પડે, પરંતુ યોગ્ય થશે કે તમે ધનને બિનજરૂરી વસ્તુ પર ખર્ચ ન કરો, યોગ્ય રણનીતિ અનુસાર તેને કોઈ રોકાણમાં લગાઓ, આથી તે તમારા માટે ખુશી અને પ્રગતિનો માર્ગ નક્કી કરશે. ધ્યાન રાખો, આ વર્ષ તમારા માટે અત્યંત મહત્વપૂર્ણ રહેવાનું છે, તેના માટે તમને શરૂઆતથી જ તમારૂ ધ્યાન યોગ્ય દિશામાં લગાવવાની સૌથી વધું જરૂરિયાત હશે. પરણિત લોકોને તમારી જીવનસાથીની મદદથી, લાભ પ્રાપ્ત થવાની સંભાવના છે. તેથી તમે તમારા સંબંધને વધું મજબૂત બનાવતા, તમારા દરેક સપનાને સાકાર થતા જોઈ શકશો.
ઉપાય: શુક્રવારના દિવસે માતા મહાલક્ષ્મીને શ્રૃંગારની સામગ્રી ભેટ કરો.
સિંહ રાશિ
આ ગોચર અવધિમાં શુક્ર તમારા સપ્તમ ભાવ એટલે વિવાહ ભાવમાં બિરાજમાન હશે. એવામાં શુક્રના આ ગોચરના પ્રભાવથી કુંવારા લોકોને, સૌથી વધું શુભ ફળોની પ્રાપ્તિ થશે. કારણ કે આ દરમિયાન તેમને લગ્ન બંધનનાં બંધાવવાનો અવસર મળશે. તેમજ પરણિત જાતકોના જીવનમાં પણ પ્રેમ, ખુશી અને ઉત્સાહનો સંચાર થશે. આથી તમે બંને વચ્ચેના સંબંધ અને મજબૂત બનશે. સાથે જ પ્રેમ, ખુશી આવશે.
તેમજ કાર્યક્ષેત્ર પર તમે તમારા કામથી અસંતુષ્ટ જોવા મળશો, જેના પરિણામ સ્વરૂપે તમારી કાર્યક્ષમતામાં અભાવાની આશંકા છે. તેમનો નકારાત્મક પ્રભાવ તમારા કાર્યક્ષેત્ર પર સ્પષ્ટ જોવા મળશે, એટલા માટે ધીરજ રાખીને, પૂરી ઈમાનદારી સાથે દરેક સમસ્યાને ઉકેલવાની વધું કોશિશ કરો. જો તમે પારિવારિક વ્યવસાયથી જોડાયેલા છે, અથવા પછી પિતાના સાથે વ્યવસાય કરો છો, તો આ ગોચરકાળ દરમિયાન તમને પરિવારનો વારસો વધારવાના ઘણાં શુભ અવસર પ્રાપ્ત થશે. તેમજ ભાગીદારીમાં વ્યવસાય કરી રહેલા લોકોને, તમારી સાથીથી થોડું સાવધાન રહેવાની જરૂર હશે.
ઉપાય : તમે શુક્રની હોરા દરમિયાન શુક્રના મંત્ર ”ૐ શું શુક્રાય નમ:”નો નિયમિત પાઠ કરો.
કન્યા રાશિ
આ ગોચરની અવધિમાં શુક્ર તમારા છઠ્ઠા ભાવ એટલે દુશ્મન તેમજ રોગ ભાવમાં પ્રવેશ કરશે. શુક્રના છઠ્ઠા ભાવમાં જવાથી કન્યા રાશિના લોકોને શરૂઆતમાં, તમારા સગાથી કોઈ વાતને લઈને વિવાદ અથવા ઝઘડા થઈ શકે છે. આથી તમારા માનસિક તણાવમાં વધારો થશે. પ્રેમ સંબંધોની વાત કરીએ તો પ્રેમ જીવન માટે આ સમય તમને પૂર્ણતાવાદી બની શકે છે. તમે તમારી સાથીથી વધું આશા રાખશો, જેમના પરિણામસ્વરૂપે તમે બંનેના સંબંધ વિક્ષેપિત થશે. કાર્યક્ષેત્ર પર ખાસકરીને સેવા ક્ષેત્રોથી જોડાયેલા લોકોને આ સમયે થોડું શ્રેષ્ઠ પરિણામ મળશે.
જોકે તમારા વરિષ્ઠ અધિકારીઓથી તમને યોગ્ય મદદ તેમજ પ્રશંસા ન મળવાથી, તમારી ભીરત નિરાશાનો ભાવ ઉત્પન્ન થઈ શકે છે. જેમના પરિણામસ્વરૂપે તમે વધું ક્રોધિત જોવા મળશો. આ દરમિયાન તમને મદદ માટે, બીજા પર પણ વધું નિર્ભર રહેવાથી બચવું પડશે. ત્યારે તમે આ ગોચરથી શ્રેષ્ઠ પરિણામ મેળવશો. આર્થિક જીવન માટે, આ સમય, કોઈપણ રીતે રોકાણ અથવા જમીનની ખરીદી વગેરે માટે યોગ્ય સમય નથી જોવા મળી રહ્યો.
ઉપાય: વિશેષ લાભ પ્રાપ્તિ માટે તમારે શુક્રવારના દિવસે, ગળામાં સ્ફટિકની માળા ધારણ કરો.
તુલા રાશિ
શુક્રદેવ તમારી રાશિના જ સ્વામી હોવાના પગલે તેમનુ્ં આ ગોચર ખૂબ મહત્વપૂર્ણ રહેશે. આ ગોચરની અવધિમાં તે તમારા પંચમ ભાવ એટલે બુદ્ધિ તેમજ પુત્ર ભાવમાં બિરાજમાન હશે. એવામાં શુક્રનો આ ગોચરથી દંપત્તિ લોકોને તમારી જીવન સાથી અને સંતાન સાથે તમારા સંબંધ શ્રેષ્ઠ બનાવવામાં મદદ કરશે. તમને કાર્યક્ષેત્ર પર પણ સારો અવસર અથવા નવી જવાબદારી મળવાની સંભાવના છે. આથી તમારા કાર્ય કૌશલમાં સુધાર થશે. સાથે જ તમે કાર્યસ્થળ પર જરૂરી અનુભવ મેળવવામાં સક્ષમ થશો.
વ્યાપારી લોકો માટે પણ શુક્રનો ગોચર લાભદાયી રહેવાનો છે. આ દરમિયાન કમાવવના ઘણાં બધાં અવસર પ્રાપ્ત થશે. આર્થિક જીવન માટે શુક્રનો આ ગોચર શુભ સાબિત થશે. પ્રેમ સંબંધોમાં પણ આ સમય શુભ રહેવાનો છે. કારણ કે આ સમય તમને તમારા પ્રેમીની ભાવનાઓને સમજવાનો મોકો મળશે.
ઉપાય : આ ગોચર દરમિયાન, શુક્રવારના દિવસે સફેદ કપડા પહેરવા તમારા માટે શુભ રહેશે.
વૃશ્ચિક રાશિ
આ ગોચરની અવધિમાં શુક્ર તમારા ચતુર્થ એટલે માતા તેમજ સુખ ભાવમાં સ્થાપિત હશે. એટલા માટે શુક્ર દેવનો ગોચર આ ભાવમાં આવીને તમને યોગ્ય પરિણામ આપવાનું કાર્ય કરશે. આ સમય કુટુંબીક વાતાવરણ આનંદ, ખુશહાલ અને સંતુષ્ટ જોવા મળશે. માતાના આરોગ્યમાં સુધાર આવશે. જો તમે ઘરથી દૂર વિદેશ અથવા કોઈ અન્ય સ્થાન પર રહો છો તો આ અવધિ દરમિયાન તમારા મનમાં તમારી ઘરે પરત ફરવાની ઈચ્છા જાગશે.
તમારી જીવનસાથી પ્રગતિ કરશે, જેથી તમને આરામ, સુખ-સુવિધા મળશે. તેમના પરિણામસ્વરૂપે તમે નવું વાહન, કોઈ અન્ય ગેજેટ, જમીન અથવા સંપત્તિ ખરીદવા પર પણ તમને પૈસા ખર્ચ થઈ શકે છે. પ્રેમી લોકોને પણ તમારા સંબંધમાં મજબૂતી અને વિશ્વાસની અનુભૂતિ થશે. આ ઉપરાંત લગ્ન યોગ્ય વ્યક્તિને શુક્રના આ ગોચર દરમિયાન, ઘણો સારો પ્રસ્તાવ મળવાનો યોગ બનશે.
ઉપાય: વિશેષ લાભ માટે, ભગવાન પરશુરામના અવતારની પૌરાણિક કથા વાંચો અથવા સાંભળો.
ધન રાશિ
ગોચરની આ અવધિમાં શુક્ર તમારા ત્રીજા ભાવ એટલે પરાક્રમ એટલે ભાઈ બહેન ભાવમાં પ્રવેશ કરશે. એવામાં શુક્રના ગોચરની આ અવધિમાં, તમને શુભ ફળોની પ્રાપ્તિ થશે. આ ગોચરની નાના પ્રવાસ માટે યોગ્ય રહેશે, કારણ કે આ દરમિયાન તમને આર્થિક નફો અને સમૃદ્ધિ પ્રાપ્ત થવાનો યોગ બનશે. પારિવારિક જીવનમાં પણ નાના ભાઈ-બહેનની મદદ મળશે.
કાર્યક્ષેત્ર માટે પણ, સમય અનુકૂળ રહેવાનો છે. ખાસકરીને તે નોકરી કરી રહેલા લોકો માટે, જે વિદેશી સંગઠનો અથવા મેલ્ટીનેશનલ કંપનીઓમાં કાર્યરત છે, તેને પોતાની નોકરીમાં ઈચ્છાનુસાર ફળોની પ્રાપ્તિ થવાની સંભાવના છે.
ઉપાય: શુક્રના હાનિકારક પ્રભાવથી બચવા માટે, શુક્રવારના દિવસે ખાંડનું દાન કરો.
મકર રાશિ
આ ગોચરની અવધિમાં શુક્ર તમારા દ્વિતીય સ્થાન એટલે ધન તેમજ વાણી ભાવમાં પ્રવેશ કરશે, જેથી આ દરમિયાન તમારી આવકમાં અચાનકથી વધારો થશે. કાર્યક્ષેત્ર પર પણ તમને તમારી નોકરી મળવાના અવસર પ્રાપ્ત કરશો. તેમજ તમારા પ્રેમી જીવન માટે પણ સમય સારો છે. વેપારી જાતકોને પણ પોતાના વેપારમાં વિસ્તાર કરવાનો અવસર મળશે. આ સમય તમને તમારી ક્ષમતાનું પ્રદર્શન કરતા યોજના અનુસાર કાર્ય કરવામાં મદદ મળશે. આથી તમે સારૂ આકર્ષિત અને લાભયાદી અવસર હાસંલ કરી શકશો.
સાથે જ તમારી પ્રેરક કુશળતાને વધારતા, તમારા પહેલાના તમામ અધૂરા પડેલા કાર્યોને પૂરા કરવામાં સક્ષમ થશો. વિદ્યાર્થી પણ પોતાના પરિવારનું પૂર્ણ સમર્થન અને સહયોગથી તમારી પરીક્ષામાં સારો ક્રમ મેળવશો.
ઉપાય: શુક્રદેવની અનુકૂળતા પ્રાપ્ત કરવા માટે, કોઈ જાણકારની સલાહ પર ઉત્તમ ગુણવત્તાનું ઓપન રત્ન શુક્રવારે ચાંદીની અંગૂઠીમાં, અનામિકા આંગળીમાં ધારણ કરો.
કુંભ રાશિ
તમારી જ રાશિમાં જ શુક્ર દેવનો ગોચર થઈ રહ્યો છે, અર્થાત તમારા પ્રથમ ભાવ એટલે લગ્ન ભાવમાં શુક્ર દેવનો ગોચર થશે. તમારી રાશિમાં શુક્રનો ગોચર, તમારા માટે અનેક બદલાવ લાવશે અને આ બદલાવ તમારા માટે ઉત્તમ સાબિત થશે. કાર્યક્ષેત્ર પર તમારા સ્વભાવમાં મદદની ભાવના, તમને પ્રગતિ હાસંલ કરવામાં મદદ કરશે. તેના પગલે તમે તમારા વરિષ્ઠ અધિકારીથી પૂર્ણ મદદ, અને સમર્થન પણ મળશે.
કાર્યક્ષેત્ર અથવા વ્યાપારથી જોડાયેલો પ્રવાસ કરવો, આ દરમિયાન તમારા માટે લાભદાયી સિદ્ધ થશે. સાથે વેપારી લોકોને પણ કેટલાક સારા અવસર પ્રાપ્ત થવાનો યોગ બનશે. આર્થિક જીવનમાં તમારી આવક અને ધનમાં વૃદ્ધિ થશે.
ઉપાય: શુક્રદેવની વિશેષ કૃપા મેળવવા માટે, ગૌમાતાની સેવા કરો અને તેમને ચારો ખવડાવો.
મીન રાશિ
ગોચરની આ અવધિમાં શુક્ર તમારા દ્વાદશ સ્થાનમાં બિરાજમાન થશે. એવામાં આ અવધિ દરમિયાન તમારા ખર્ચામાં વધારો થશે. તમારા આ ગોચર દરમિયાન બિનજરૂરી ખરીદીના ખર્ચાથી ટાળવાની કોશિશ કરવાની જરૂર હશે. તમારા ભાઈ-બહેન પણ તમારાથી આર્થિક મદદની અપેક્ષા કરશે. જેમના પરિણાસ્વરૂપે તમારી ઉપર આર્થિક બોઝ વધી શકે છે. આ દરમિયાન ભાઈ-બહેનાના કાર્ય ક્ષેત્રથી સંબંધિત વિદેશ જવાનો પણ અવસર પ્રાપ્ત થશે.
ગોચરકાળની આ અવધિ મીન રાશિના અમુક લોકો માટેસ બિનજરૂરી પ્રવાસ પણ લઈને આવશે. જેના પર તમને ધન અને ઉર્જા બંને બર્બાદ થઈ શકે છે. આરોગ્ય જીવન માટે પણ આ સમય થોડા પ્રતિકૂળ રહેશે. કાર્યક્ષેત્ર પર તમને અત્યારે કોઈપણ પ્રકારનો જોખમ લેવાની જગ્યાએ ફક્ત દરેક સ્થિતિને શ્રેષ્ઠ બનાવવાની તરફ કાર્ય કરવાની જરૂર રહેશે. જો તમે કોઈપણ પ્રકારનું રોકાણ કરવા ઈચ્છો છો તો, તમારા વડિલો, પિતાની સલાહ અવશ્ય લો.
ઉપાય: વિશેષ લાભ માટે શુક્રવાર અને સોમવારના દિવસે, દૂધનું દાન કરો.