ટેલિવીઝનનો સૌથી લોકપ્રિય શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા ઘર- ઘરમાં પ્રખ્યાત છે. અત્યારે પણ લોકો આ શોના દીવાની છે. જોકે શોમાં છેલ્લા દોઢ વર્ષથી એક મહત્વનો રોલ પ્લે કરનારી દયાબેન એટલે દિશા વકાણી નજર નથી આવી રહી. તેનું કારણ છે તેના લગ્ન અને ફરી દીકરીનો જન્મ. ત્યારે હવે દર્શકો પણ દયાબેનની વાપસીનો આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. એટલું જ નહી શોના મેકર્સ પણ દિશાને મનાવવાની પૂરી કોશિશ કરી રહ્યાં છે. પરંતુ કદાચ લોકો ભૂલી ગયા છે કે દયાબેન જ નહી પરંતુ શોમાં એક અન્ય પાત્ર પણ છે, જે લાંબા સમયથી નજર નથી આવી રહ્યું. અને તે છે રિટા રિપોર્ટર એટલે પ્રિયા આહૂજા…
શોમાં રિટા રિપોર્ટરની ભૂમિકા પ્રિયા આહૂજા નિભાવી રહી હતી. પ્રિયા પણ 2019માં એક દીકારની માતા બની. અને ત્યારથી તે પણ આ શોથી ગાયબ છે. એટલે દિશા વકાણી જેમ જ તે પણ મેટરનિટી લીવ પર ચાલી રહી છે.

જણાવી દઈએ કે પ્રિયા આહૂજાએ શોના ચીફ ડાયરેક્ટર માલવ રાજદા સાથે લગ્ન કર્યાં છે. બંનેની પ્રેમ કહાની શોના સેટ પરથી શરૂ થઈ હતી.

2008માં જ્યારે આ શોની શરૂઆત થઈ તો પ્રિયા તેનો ભાગ બની હતી. ધીમે-ધીમે બંને નજીક આવ્યાં અને 2011માં બંનેએ લગ્ન પણ કરી લીધાં હતાં. તેમજ લગ્નના લગભગ 8 વર્ષ પછી પ્રિયાએ એક દીકરાને જન્મ આપ્યો હતો અને પછી શોથી અંતર બનાવી લીધું.

જોકે, પ્રિયા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને હંમેશા પોતાના અને તેના દીકરાના ફોટો શેર કરે છે. પ્રિયા શોના ચાઈલ્ડ આર્ટિસ્ટથી પણ મળતી રહે છે. તે તેને પોતાના ઘરે બોલાવીને પાર્ટી પણ કરે છે.

હવે વાત દયાબેનની કહીએ તો તે પણ લાંબા સમયથી શોથી દૂર છે. ફેન્સ દયા બેન ઉર્ફે દિશા વકાનીને શોમાં એકવાર ફરી જોવા ઈચ્છા વ્યક્ત કરી રહ્યાં છે. શોના 3000 એપિસોડ પૂરા થવા પર એક યૂઝરે લખ્યું હતું, તમને અને તમારી તારક મેહતા શોની ટીમને 3000 એપિસોડ માટે ખૂબ ખૂબ શુભકામનાઓ. પરંતુ તમારાથી એક વિનંતી છે, પ્લીઝ, ગમે તેમ કરીને પણ દયા ભાભી શોમાં આવો.
દિશા વકાનીએ દોઢ વર્ષ પહેલા શોથી મેટરનિટી લીવ લીધી હતી, ત્યારબાદથી જ તેની વાપસી નથી થઈ શકી. શોની લીડ અભિનેત્રી રહેલી દિશા વકાનીએ થોડા સમય પહેલા જ કમબેક માટે શૂટિંગ કરી હતી, પરંતુ તે શોને વધું સમય નથી આપવા ઈચ્છતી. એવામાં મેકર્સ અને તેના વચ્ચે વાત ન થઈ શકી.