હાથથી હજું મેંહદીનો રંગ પણ નહતો ઉતર્યો કે જીવનસાથીએ હંમેશા-હંમેશા માટે સાથે છોડી દીધો. ક્રૂર કાળે હસતી-રમતી જિંદગીને એવો ઘાવ આપ્યો જે જીવનભર નહી ભૂલી શકે. જેની સાથે સુખ-દુખમાં નીભાવવાના વચનો લીધા અને સાથ ફેલા લઈને નવા જીવનની શરૂઆત કરી તેનું આમ અચાનક અલવિદા કહી જવું કોઈ વીજળી પડવાથી કમ નથી.
ભાગ્યએ કઈક આવી જ રમત રમી છે બ્યાવર નિવાસી અન્નૂ સાથે. લગ્નને હજુ પૂરા બે મહિના પણ નથી થયા ત્યાં પતિ ચેનારામ એક દુર્ઘટનાનો શિકાર બની ગયો. કાળ બનીને આવેલા કરન્ટે આ પરિવારની ખુશીઓ જ છીનવી લીધી. દુર્ઘટનમાં ત્યાં અન્નૂનો જીવનસાથી તેનાથી છીનવી લીધો તો વૃદ્ધ માતા-પિતાએ વૃદ્ધાપણની લાકડી પણ તેની પાસેથી છીનવી લેવામાં આવી. એટલું જ નહી ક્રૂર કાળે 7 બહેનોના એકમાત્ર ભાઈને તેનાથી હંમેશા હંમેશા માટે અલગ કરી દીધો.
પીસાંગન વિસ્તારમાં મંગળવારે કરન્ટની ઝપેટમાં આવેલા ચેનારામના લગ્ન 10 ડિસેમ્બરે બ્યાવરની રહેવાસી અન્નૂ સાથે થયાં હતાં. અકસ્માતના થોડા સમય પહેલા જ પત્નીને સાસરિયેથી લઈને તેના ઘરે પાલી જિલ્લાના કુડળી ગામમાં છોડીને આવ્યો હતો. તે ઘરે કહીને આવ્યો કે થોડુંક જાળવણીનું કામ કરીને જલ્દી આવી જઈશ, પરંતુ ભાગ્યને તો કઈક બીજી જ મંજૂર હતું. ઘર આવ્યાં તો તેના મોતના સમાચાર…!
ટ્રાન્સફોર્મર લગાવતા સમય કરન્ટથી મોત
ગોવિંદગઢ બોર્ડરમાં ટ્રાન્સફોર્મર લગાવતા દરમિયાન મંગળવારે સાંજે કરન્ટની ઝપેટમાં આવવાથી કોન્ટ્રાક્ટર કર્મચારી પાલી જિલ્લાના કુડલી ગામનો નિવાસી ચેનારામ સાહૂનું મોત નીપજી ગયું. તેને બચાવવાના પ્રયત્નોમાં કોન્ટ્રાક્ટર જયપુર જિલ્લાના ફાગી તહસીલ અંતર્ગત રોડવાડા ગામનો રહેવાસી દિલીપ સિંહ પણ ખરાબ રીતે દાઝી ગયા. તેને પ્રાથમિક સારવાર બાદ અજમેર રિફર કરી દેવામાં આવ્યાં, તેમજ ચેનારામના મૃતદેહને મોરચાઓમાં મૂકવામાં આવ્યો, જ્યાં બુધવારે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું.
પીસાંગન થાણાના અધિકારી પ્રીતિ રત્નૂએ જણાવ્યું કે કસ્બે ગોવિંદગઢ સ્થિત રેબારિયોની ઢાળીથી જોડાતી ગોવિંદઢ બોર્ડરમાં 11 હજાર કેવી હાઈટેન્શન લાઈનથી જોડાયેલી ટ્રાન્સફોર્મર પર જાળવણીનું કામ ચાલી રહ્યું હતું. અહી કોન્ટ્રાક્ટર દિલીપ સિંહ કર્મચારી સાથે કૃષિ કનેક્શન માટે બે ટ્રાન્સફોર્મર લગાવવા ગયાં હતાં. પગારામાં કામ પૂરૂ કર્યા બાદ તે રેબારિયોની ઢાણી પર પહોચ્યાં.
ન સમજી શક્યા ક્યાંથી આવી રહી છે લાઈન
કોન્ટ્રાક્ટર દિલીપની સૂચના પર ફીડર ઈન્ચાર્જ અરમાને પગારા ફીડરનું શટડાઉન કરી દીધું હતું. પગારા ફીડર પર લાઈન પીસાંગન જીએસએસથી આવી રહી હતી, જ્યારે નજીક જ લગભગ 20 દિવસ પહેલા ખેચવામાં આવેલી અખેરા 11 ફીડરની લાઈન પસાર થઈ રહી હતી. આ ગોવિંદગઢ જીએસએસથી જોડાયેલી હતી. દુર્ઘટના આ જ લાઈન પર બની. કોન્ટ્રાક્ટર અને કર્મચારી એ સમજી ન શક્યા કે આ લાઈન પગારા ફીડરની ન થઈને ગોવિંદગઢ જીએસએસથી જોડાયેલી છે.
ચેઈન નાંખતા જ લાગ્યો કરન્ટ
ચેનારામે જેવી જ 11 કેવી અખેરા જીએસએસની લાઈનને લોખંડની ચેઈન નાંખવા ગયો ત્યાં જ તે કરન્ટની ઝપેટમાં આવી ગયો. જમીન ભેજવાળી હોવાથી કરન્ટથી ઘટના સ્થળ પર જ તેનું મોત થઈ ગયું. પાંચ મીનિટ બાદ દિલીપ પ્લાસ્ટિકની પાઈપ લઈને વિદ્યુત લાઈનથી લોખંડની ચેઈન હાટવવા ગયો. જોકે પાઈપ ભીની હોવાથી તેના હાથ પણ કરન્ટથી ઈજાગ્રસ્ત થઈ ગયો. અકસ્માત બાદ ઘટના સ્થળ પર પહોચી આજુ-બાજુના લોકો તેમજ વિદ્યુતકર્મચારીઓએ બંનેને હોસ્પિટલમાં પહોચાડવામાં આવ્યાં, જ્યાં ડોક્ટરોએ ચેનારામને મૃત જાહેર કરી દીધો. કોન્ટ્રાક્ટર દિલીપ સિંહને પ્રાથમિક સારવાર બાદ અજમેર રિફર કરી દેવામાં આવ્યો.
પરિવાર લોકો અને ગામ લોકોમાં રોષ
દુર્ઘટનાની સૂચના પર પરિવારજનો અને ઘણાં ગામવાસીઓ હોસ્પિટલ પહોચ્યાં. વિદ્યુત નિગમ તેમજ કોન્ટ્રાક્ટર પર બેદરકારીનો આરોપ લગાવતા મૃતકના પરિવાર લોકોએ વળતર મેળવવા અને દોષિઓ વિરૂધ કડક કાર્યવાહીની માંગ પર રોષ દેખાડ્યો. થાણું અધિકારી પ્રીતિ રત્નુએ તેલીવાડા વિસ્તારના નિવાસી મૃતકના મામા કૈલાશ ચંદ સાહૂની ફરિયાદ પર કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી દીધી.