ભારતમાં દરેક શહેરમાં દેવી-દેવાતાઓના મંદિરો જોવા મળવાએ સામાન્ય વાત છે, પરંતુ શું તમે જાણો છો કે સનાતન ધર્મની માન્યતા માત્ર ભારતમાં જ નહી પરંતુ વિદેશોમાં પણ ઘણી જગ્યોએ જોવા મળે છે. અહીયા પણ ઘણાં સ્થળો પર મંદિરો જોવા મળે છે. આ તરફ ભારતમાં ઘણાં પ્રાચીન મંદિર આવેલા છે, જેમની સાથે લોકોની આસ્થા જોડાયેલી છે. ત્યારે માત્ર ભારતમા જ નહી વિદેશોમાં પણ ઘણાં બધાં મંદિરો એવા છે, જેમને જોઈને શ્રદ્ધાળુઓની આંખો ખુલી જ રહી જાય છે. આ મંદિરોના ચમત્કાર અને તેમની વાસ્તુકાલાની ચર્ચ આખી દુનિયામાં થાય છે. આવો આજે તમને દેખાડીએ વિદેશોમાં આવેલા આ ભવ્ય અને વિશાળ તેમજ પ્રસિદ્ધ મંદરિ વિશે…
અંકોરવાટ, કંબોડિયા
કંબોટિયામાં આવેલું અંકોરવાટ વિશ્વનું સૌથી મોટું હિન્દુ મંદિર પરિસર અને ધાર્મિક સ્માકર છે. તેમની આજુબાજુ ઘણાં પ્રાચીન મંદિર અને તેના અવશેષો પણ હાજર છે. આ વિસ્તારને અંગકોટ પાર્ક પણ કહેવામાં આવે છે. એવું પણ કહેવામાં આવે છે કે સ્વયં દેવરાજ ઈન્દ્રએ તેમના પુત્રને મહેલ તરીકે આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું.
કંબોડિયા સ્થિત આ વિષ્ણુ મંદિર વિશ્વનું સૌથી મોટું ધાર્મિક સ્થળ છે. આ મંદિર 400 એકરમાં ફેલાયેલું છે. આ વિશાળ મંદિરનું નિર્માણ ખમેર સામ્રાજ્યના રાજા સૂર્યૂવર્મા દ્વિતીયએ કરાવ્યું હતું. હવે આ એક વિશ્વ ધરોહર સ્થળ બની ચૂક્યું છે.

અક્ષરધામ મંદિર, અમેરિકા
ન્યૂ જર્સીનું અક્ષરધામ મંદિર અમેરિકાનું સૌથી મોટું હિન્દુ મંદિર છે. સ્વામીનારાયણજીના મંદિરના સાથોસાથ અક્ષરધામના પરિસરમાં ભારતીય ઈતિહાસ તેમજ સંસ્કૃતિના વિષયમાં જાણકારી આપતું એક મોટું સંગ્રહાલય પણ છે. અમેરિકાના આ અક્ષરધામ મંદિરની ભવ્યતાને શબ્દોમાં વર્ણવી ન શકાય.
સંયુક્ત રાજ્ય અમેરિકા (USA)ના ન્યૂ જર્સીમાં આવેલું અક્ષરધામ મંદિરની ચર્ચા તો સમગ્ર વિશ્વમાં થાય છે. આ અક્ષરધામ મંદિર પરિસર લગભગ 160 એકર વિસ્તારમાં ફેલાયેલો છે. તેમનું નિર્માણમાં વાપરવામાં આવેલા પથ્થરોને યૂરોપથી મંગાવવામાં આવ્યાં હતાં. ત્યારબાદ તેમને રાજસ્થામાં હાથોથી કોતરકામ કરીને તૈયાર કરવામાં આવ્યા હતાં. આ મંદિર ચાર મંજિલા છે, જેમાં ભારતીય ધરોહર, ઈતિહાસ અને સંસ્કૃતિની પ્રદર્શની લગાવેલી છે.

દત્તાત્રેય મંદિર, ત્રિનિદાદ અને ટોબૈગો
ત્રિનિદાદ અને ટોબૈગોમાં દત્તાત્રેય મંદિર દ્રવિડ શૈલીનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. અહીં હનુમાનજીની 85 ફૂટ ઊંચી વિશાળ મૂર્તિ આકર્ષણનું કેન્દ્ર છે. મંદિરમાં પ્રાંગણમાં એક યોગ કેન્દ્ર પણ ચલાવવામાં આવે છે. આ યોગ કેન્દ્રની સ્થાપના 1986માં થઈ હતી અને આ મંદિરનું નિર્માણ 2003માં થયું હતું. ત્રિનિદાદ અને ટોબૈગોમાં સનાતન સંસ્કૃતિનું ખૂબ રક્ષણ કરવમાં આવે છે.
ઉત્તર ભારતીય મંદિરોની જેમ આ મંદિરના દરવાજા પર પણ બે અલંકૃત હાથી સ્થાપિત છે. સાથે જ બે નર્તકિયા સ્વાગત માટે અહી ઉભા છે. મંદિરના અંદર ઉપરના ભાગ પર સુંદર ચિત્રકારી કરવામાં આવી છે. તેમાં વિભિન્ન વાદ્યને વગાડતા કલાકાર કોતરણી છે. અહી ચાર મંદિર સ્થાપિત છે. આ મંદિરોને નજીકથી જુઓ તો તેમનો આકાર મનુષ્ય જેવો છે.

ઢાકેશ્વરી મંદિર, બાંગ્લાદેશ
આ મંદિર બાંગ્લાદેશમાં આવેલું છે. ઢાકેશ્વરી મંદિર બાંગ્લાદેશના ઢાકા નગરનું સૌથી મહત્વપૂર્ણ મંદિર છે. આ જ ઢાકેશ્વરી દેવીના નામ પર જ બાંગ્લાદેશની રાજધાની ઢાકાનુ નામકરણ થયું છે. ભારતના ભાગલા પહેલા જ ઢાકેશ્વરી દેવી મંદિર સંપૂર્ણ ભારતના શક્તિપૂજક સમાજ માટે આસ્થાનું ખૂબ મોટું કેન્દ્ર હતું. ઢાકેશ્વરી પીઠની ગણના 52 શક્તિપીઠમાં કરવામાં આવે છે.
કહેવામાં આવે છે કે 12મી સદીમાં સેન રાજા બલ્લાલ સેનએ આ મંદિરનું નિર્માણ કરાવ્યુ હતું. માન્યતા અનુસાર, અહી દેવી સતીના આભૂષણ પડ્યાં હતાં. બાગ્લાંદેશમાં આ મંદિર હિન્દુઓનું આસ્થાનુમ મુખ્ય કેન્દ્ર છે, કારણ કે માતાજીનું આ મંદિર ચમત્કારી મંદિર છે.

બાતૂ ગુફા મંદિર, મલેશિયા
વિદેશી મંદિરોમાં મલેશિયાના ક્વાલાલંપુરના નજીક ગોમ્બૈક જિલ્લામાં આવેલું આ મંદિર શિવ અને પાર્વતીના મોટા પુત્ર કાર્તિકેયને સમર્પિત છે. આ પર્વત મલેશિયાની રાજધાની ક્વાલાલાંપુરથી 13 કિલોમીટર દૂર છે. આ મંદિર ચૂનાના પથ્થરોના વચ્ચે આવેલું છે. આ ગુફા મંદિર સુધી પહોચવા માટે 272 સીડીઓ ચડવી પડે છે. મંદિરનું મુખ્ય આકર્ષણ તેના દરવાજા પર પ્રભુ કાર્તિકેયની (મુરૂગન) 140 ફૂટની ભવ્ય પ્રતિમાં છે. તેમનું આ નામ આ પર્વતના પાછળ વહેતી બાતૂ નદીથી મળે છે, તેમના સાથે જ નજીકનું એક ગામનું નામ પણ બાતૂ ગુફા છે. અહીયાની ગુફા ભારતથી બહાર હિન્દુઓનું એક ખૂબ પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ છે, વિશેષ રૂપથી તમિલ લોકો માટે.
