રાત્રે સુતા સમય આપણે અનેક પ્રકારના સપના આવે છે. ઘણાં સપના આપણે ખુશી આપે છે, તો ઘણાં એવા પણ હોય છે, જેને જોયા બાદ આપણે ડરી જઈએ છે. ખરાબ સપાનાના કારણ મનમાં ઘણાં પ્રકારની ભયંકર પરીસ્થિતિઓ, બેચેની, તણાવ વગેરે સમસ્યા આવે છે. ઘણાં લોકોને સપનામાં ભૂત-પ્રેત આત્માઓ, મુર્દા, લાશ વગેરે પણ દેખાતી હોય છે જેને જોઈને તે પરેશાન થઈ જાય છે. અનેક લોકોને ખરાબ સપના સતત આવતા રહેતા હોય છે. બધાં વિચારે છે કે અંતે ખરાબ સપનાથી કેમ છુટકારો મળવીએ. પરંતુ સપના પર કોઈનું જોર નથી ચાલતુ. અમે તમને કેટલાક એવા ઉપાય જણાવીશું જેની મદદથી સપનાથી થઈ રહેલી કમનસીબીથી બચી શકાય છે.
જલ્દી કરો આ ઉપાય
ખરાબ સપના કોઈ પણ નિંદરને ઉડાવી નાંખે છે. ત્યારે અડધી રાતમાં જ નિંદરમાંથી જાગીને સપનામાં થઈ રહેલી ઘટના વિશે વિચારતા રહે છે. અગ્નિપુરાણ અનુસાર, આવું સપનું જોવાના કારણે ઉંઘ ઉડી જાય તો તેને ફરીથી જલ્દી સુઈ જવું જોઈએ. આમ કરવાથી તે સ્વપ્ન મગજમાંથી નિકળી જાય છે. સવારે ઉઠવા પર અડધી રાત્રના સપના યાદ નથી રહેતા અને શાંત મન સાથે વ્યક્તિ પોતાના દિવસની શરૂઆત કરી શકે છે.
તુલસીને પ્રાર્થના
એવું પણ કહેવામાં આવે છે કે ખરાબ સપના જોયા બાદ તમારે તમારા ઘરમાં લગાવેલી તુલસીના છોડ પાસે જવું જોઈએ. સાચા મનથી હાથ જોડી અને આંખ બંધ કરીને ભગવાન વિષ્ણુનું ધ્યાન કરીને તમારી પરેશાનીઓ તેમને કહો. તમારો ભય દૂર થઈ જશે અને પરેશાની ટળી જશે.
ભગવાનને કરો નમન
કોઈ સપનાને જોયા બાદ ઉંઘ ઉડી જાય છે તો તમારા દેવી-દેવતાના ચરણોમાં નમન કરો. તમને પ્રાર્થના કરો કે તે રક્ષા કરે અને માર્ગદર્શન આપે. ધાર્મિક સ્થાન, મંદિર, ગુરૂદ્વારે આદિમાં જઈને ભગવાનને નમન કરો.
હવન કરવું રહેશે શુભ
ઘણીવાર ખરાબ સપનાના આવવાના કારણ ઘરમાં નકારાત્મક ઉર્જા પણ હોય છે. આ નકારાત્મક શક્તિથી બચવા માટે તલનું હવન કરવું જોઈએ. હવનથી ધુમાડાથી વાતાવરણ શુદ્ધ થાય છે. કહેવામાં આવે છે જે ઘરમાં નિયમિત હવન કરવામાં આવે છે, અહી દેવાતઓનો વાસ હોય છે. નિયમિત રૂપથી આમ કરવાથી ખરાબ સપનાથી બચી શકાય છે.